SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૩ નિષ્ણાતનો અર્થ શબ્દના આલંબને નિઃશબ્દમાં જવું. આહત ધ્વનિ વડેઅનાહત ધ્વનિમાં સ્થિર થવું. વ્યકત ઉચ્ચાર વડે અનુચ્ચારમાં જઈ અવ્યક્ત રૂપ થવું. શબ્દ વડે શબ્દનું ઉલ્લંધન કરી નિઃશબ્દ થઈ, સ્વ સ્વરૂપને પામવું. શબ્દ ક્રિયા વડે નિષ્ક્રિય અવસ્થામાં સ્થિર રહેવું. સાચું સુખ, શાન્તિ કે આનંદ માયામાં નથી, પરંતુ આત્મા અને પરમાત્માના મિલનમાં છે. પરમાત્માને વરવું એટલે પોતાનો મત પરમાત્માની તરફેણમાં આપવો. ૫૨માત્માના મતને પોતાનો મત માનવો. મળવું એટલે વરવું, અને વરવું એટલે પસંદ કરવું સંસારમાં એક બાજુ વિષયો, ધન, સ્ત્રી, કીર્તિકામનાના પ્રલોભનો છે, બીજી બાજુ પરમાત્માનો દિવ્ય રસ છે. એક બાજુ પ્રકૃતિ છે, બીજી બાજુ પરમેશ્વર છે. મધ્યમાં જીવાત્મા છે. પ્રકૃતિની પસંદગી આખરે વિનાશમાં પરિણમશે, પરમાત્માની પસંદગી અવ્યાબાધ મોક્ષના સુખમાં પરીણમશે. માયા દેખાવમાં મનોહર છે અને ઘોર દુઃખને આપે છે. ધન સંપત્તિ, શકિત, વિદ્યા આદિ વનના સાધનો છે, ઉદ્દેશ નહિ. ઉદ્દેશ તો તે જ છે કે જેથી આત્માની તૃપ્તિ, સુખ, શાંતિ, આનંદ, નિર્ભયતાથી જીવન છલકાઈ જાય અને તે ઉદ્દેશ એ જ કે આત્માનો અનુભવ મેળવવો. બધી વસ્તુના ઉદ્દેશ સમજવામાં આવે છે, પણ જીવનો ઉદ્દેશ શું એનો પત્તો નથી, એ જ મોટું અજ્ઞાન છે અને અજંપાનું કારણ છે. લેનેકો હરિનામ, દેનેકો કુછ દાન; તારનકી હૈ નમ્રતા, ડૂબનેકો અભિમાન. ૫૦. પ્રભુ દર્શન માટે આત્મ સમર્પણ એ જ ઉપાય છે. Creator God and Protector God. કર્મ એ Creator God અને ધર્મ એ Protector God છે. કર્મનો કર્તા જીવાત્મા છે, ધર્મના કર્તા પરમાત્મા છે. પરમાત્માના શરણે જવાનો ઉપાય બહિરાત્મભાવનો ત્યાગ કરી, અંતરાત્મ ભાવમાં સ્થિરતા કરી, પરમાત્મ ભાવની ભાવના ક૨વી. કર્મનો નિયમ વિચારવાથી બહિરાત્મ ભાવનો ત્યાગ થાય છે અને અંતરાત્મ ભાવમાં અવાય છે. અંતરાત્મ ભાવમાં આવીને પરમાત્માનું સ્મરણ કરવાથી ઉપયોગ રૂપે પરમાત્મ ભાવમાં સ્થિર થવાય છે. તે જ શરણ ગ્રહણનો ઉપાય છે. કર્મના નિયમના વિચારથી અશુભ ધ્યાનથી મુકત થવાય છે. અને ધર્મના નિયમનો વિચાર શુભ ધ્યાનમાં જોડે છે. શુભધ્યાન સર્વ જીવ સાથે મૈત્રી થવા રૂપ તે ધર્મધ્યાન છે. અને બીજું સ્વરૂપમાં સ્થિરતા રૂપ તે શુકલધ્યાન છે. સંસારમાં અન્યાય છે, અનીતિ છે, અધર્મ છે, નિર્દયતા છે, ધર્મહીનતા છે એ વાત એક નયથી (દૃષ્ટિબિન્દુથી) જેટલી સાચી છે, તેટલી સત્ય વાત બીજી દૃષ્ટિએ એ છે કે સંસારમાં સર્વત્ર ન્યાય, દયા, વ્યવસાય, કરુણા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy