SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ર ૪૮. ગુરુ વચનામૃત પ્રભુ પાસે શું માંગવું ? પ્રભુ પાસે સંસાર માંગવાનો નથી, પણ પ્રભુની પ્રભુતા માંગવાની છે. પ્રભુને સંસારમાં લાવવાનો છે, સંસારને પ્રભુ પાસે લઈ જવાનો નથી. પ્રભુની પ્રભુતા સાથે સંબંધ જોડવા માટે સંસારની સાથે સંબંધ તોડવાનો છે. તો જ પ્રભુની પ્રભુતા સાથે સંબંધ જોડાય છે. મનની ચંચળતા પાછળ મહાન રહસ્ય છે. જ્યાં સુધી તેને સાચી જગ્યા મળતી નથી, ત્યાં સુધી એ ઠરીને બેસતું નથી. તેના માટે સાચી જગ્યા અરિહંતના ચરણકમળ છે, એકવાર જિનના ચરણકમળ મળી ગયા, પછી મન પોતાની દોડાદોડ છોડી દેશે. અમી રસનો કટોરો મળી જતાં ઝેર પીવા કોણ તૈયાર થશે ? જેનું મન પ્રભુના ચરણ કમળમાં આળંટી રહ્યું છે, તેના માટે સંસારના પદાર્થો વિષ સમાન ભાસે છે તેને પુગલના સુખની ઈચ્છા જ રહેતી નથી. તેની તૃષ્ણા પ્રજળી જાય છે. કામ, ક્રોધ, મોહ, મદ, માન, માયા ભાગી જાય છે. દેવોના ભોગ વિલાસ પણ તેને ફીકકા લાગે છે. સાચો સાધક સિદ્ધશીલાવાસી ભગવાનને અપાર પ્રેમ અને ભક્તિથી હૃદય નિવાસી સમજી, આજ્ઞાનું પાલન કરી, આત્મભાવે જિનવર બની, પરમ સુખનો અનુભવ કરી કૃતકૃત્ય થાય છે. સાધક જિનવરને જેટલા પ્રેમ અને આદરથી નિહાળે છે, તેટલી તેના હૃદયમાં તૃપ્તિ ઉત્પન્ન થાય છે. સાધક જિનવરને જેટલા મહાન સમજે છે, તેટલો જ મહાન પોતે બને છે. જિનેશ્વર પ્રતિ રાખેલ પૂજ્યભાવ અને સ્નેહભાવ જિનેશ્વરને નહીં, પણ આપણને જ ફળદાયક બને છે. જિનવરને જેટલા શકિતશાળી તમે જોશો, તેટલા જ શકિતશાળી તમે બનશો. જિનવર પ્રત્યે જેટલી મમતા વધારશો, તેટલી જ સમતા અંતરમાં ઉત્પન્ન થશે. મંત્ર - તંત્ર જાણવા માત્રથી ફળતા નથી, તેને ચૈતન્ય શકિતનો ભંડાર સમજી ઉપાસના કે જપ કરવાનો આવે તો તે તત્કાળ ફળપ્રદ બને છે. ૪૯. 6 અહમ્ નમ: - મંત્રનો અર્થ ૐ અક્ષરમાં ઊંડાણ છે, પાતાળ છે. અહં અક્ષરમાં ઉડ્ડયન છે, આકાશ છે. ૐ અક્ષરમાં ગાંભીર્ય છે. અહં અક્ષરમાં વિશાળતા છે. ૐ ત્રિકાળ વ્યાપી છે. અહં ત્રિલોક – ત્રિભુવન વ્યાપી છે. ૐ આત્મા છે. અહં પરમાત્મા છે, જ્યોતિ છે. ૐ શબ્દ બ્રહ્મ છે. અહ શબ્દ પરબ્રહ્મ છે. - વૃત્તિઓનો સંકોચ છે. અહ- વૃત્તિઓનો વિસ્તાર છે. ૐ- આત્મ દ્રવ્યનો સંકોચ છે. અહ- આત્મભાવનો સંકોચ છે. ૐ- અહં શબ્દ બ્રહ્મ છે. શબ્દ બ્રહ્મમાં નિષ્ણાત પરબ્રહ્મ પામે છે. અહીં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy