SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ વિધ્વંસન, ગલન સ્વભાવવાળું છે એમ સમજાયું. મારે તેની સાથે કાંઈ લેવાદેવા નથી. કર્મ સંબંધથી માત્ર સંયોગ સંબંધ છે. એવી શ્રદ્ધા અરિહંત પરમાત્માના વચનને બળે દૃઢ થઈ. વિષયમાં આસિત કરવી અને કષાયવાળા બનવું, રાગી-દ્વેષી બનવું નિરર્થક છે. પુદ્ગલનું કાર્ય પુદ્ગલ કરે છે, આત્મા તો નિશ્ચયથી વીતરાગ છે. વીતરાગની આજ્ઞા મુજબ સર્વ જીવોના હિત ચિંતન દ્વારા શાશ્વત સુખનો ભોકતા છે જ્યાં શરીર નથી, મન નથી અને શરીર તથા મન દ્વારા મળનારા દુઃખોનો લેશ નથી. સર્વ જીવોને પોતાના આત્મસમાન માની, સર્વને સુખી કરવાની ભાવનાને સફળ બનાવવા માટે અરિહંત પરમાત્માને નિત્ય પ્રાર્થના કરવી, જેથી જન્મ-મરણના ફેરામાંથી મુકિત મળે. અને પછી કોઇ જીવને દુઃખ દેવાનું ન રહે. સર્વ જીવો સુખી થાય તે ભાવના ફળવતી બને. ૪૬. પરમાત્મ પ્રેમમાંથી પરમાનંદમાં મનુષ્યના ચિત્તની અંદર મુખ્ય ત્રણ શકિતઓ રહેલી છે. ઈચ્છા શકિત, જ્ઞાન શકિત, ક્રિયા શકિત. તેમાં ઈચ્છાશકિત સૌથી અધિક બળવાન છે. ઈચ્છામાં પણ પ્રધાન ઈચ્છા સુખની, શાન્તિની અને આનંદની છે. આનંદ આત્મામાં છે, તેની પરાકાષ્ઠા પરમાત્મામાં છે, આનંદ પ્રત્યેનો પ્રેમ આનંદસાગર પરમાત્મા તરફ વળે છે અને પરમાત્મા પ્રત્યેનો પ્રેમ પરમાનંદનો અનુભવ નિરંતર કરાવે છે. પરમાત્મા પ્રેમથી ભરેલા છે, એનો બોધ આનંદના પ્રેમી આત્માને પરમાનંદ સ્વરૂપ પરમાત્મા પ્રત્યે પ્રેમ જગાડે છે, અને એ પ્રેમ પોતે જ પરમાનંદ સ્વરૂપ બની જાય છે. લૌકિક કહેવત ચા બગડી તેની સવાર બગડી, દાળ બગડી તેનો દિવસ બગડ્યો, અથાણું બગડ્યું તેનું વરસ બગડ્યું અને લોકોત્તરમાં મન બગડ્યું તેનો ભવ બગડ્યો.” 44 ૪૭. ૐ અર્હ પ્રસીદ ભગવન્ ય। વર્ણ ૧૧ ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત કરવામાં આ એક જ પદની ૧૦ માળા ઉપકારક બને છે. પ્રારંભમાં “હે ભગવાન ! મારા ઉપર પ્રસન્ન થાઓ ! પ્રસાદ કરો ! એમ ભાવના કરવી આમાં ‘મિય’નો અર્થ મારો અંદર અભેદ થાવો એકમેક થઈને પ્રસન્ન થાઓ એ અર્થ કરવો. અર્થાત્ પરમાત્મામાં આત્માનું વિલીનીકરણ કરીને અભેદ ભાવે ધ્યાન ચિંતન કરવું. પ્રથમમાં સંભેદ પ્રણિધાન અને બીજામાં અભેદ પ્રણિધાનની ભાવના કરવાથી ચિત્તની પ્રસન્નતા પ્રગટપણે અનુભવાય છે. અભેદ ભાવનામાં શબ્દ-અર્થ, વાચ્ય-વાચક, મન-પ્રાણ, ધ્યાતાધ્યેય એક જ છે. ધ્યાન કરનાર પણ પોતે અને જેનું ધ્યાન કરવામાં આવે તે પણ પોતાની અંદરની જ એક અવસ્થા છે એવી ભાવનામાં એક તાન લાવવાથી ચિત્ત પ્રસાદ, ચિત્ત સંતુષ્ટિ, મનઃ પ્રસાદ, મન સંતુષ્ટિ અનુભવાય છે. આ સૂત્ર ઉપરથી અનુભવ : ભગવાન આપણા ઉપર પ્રસન્ન જ છે - આ સૂત્ર દ્વારા ભગવાનની સન્મુખ બનવાથી ભગવાનનો પ્રસાદ થવાથી આનંદ વિભોર બની જવાય છે. પછી Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy