SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬૯ ભરવામાં પણ મારો સાથ નહિ મળે. (૩) સંસારના સર્વ જીવો મારા આત્મ તુલ્ય છે. જેવું સુખ મને પ્રિય છે તેવું જ સુખ સર્વ જીવો ચાહે છે. મનને આધીન થવાથી સંસારના જીવોને અધિક પીડાકારક થવાય છે. મારા આત્મહિત માટે તો, એક પણ જીવને દુઃખ ન દઇને સર્વ જીવને સુખી કરવાની ભાવનામાં રાત-દિન રહેવું જોઇએ. - (૪) સર્વ જીવોને સુખી કરવા માટે, સંવર - નિર્જરાના કાર્યો કરવા માટે રાત - દિવસ પ્રયત્નશીલ રહેવું જોઇએ. એ માટે શાસનના સર્વસ્વ માલિક અરિહંત પરમાત્માની સેવા, ભકિત, પ્રાર્થના અને શરણાગતિ એ જ એક ઉપાય છે. એમની અચિજ્ય શકિત સર્વ મનોકામનાઓ પૂર્ણ કરવાને સમર્થ છે. મારી પોતાની શકિતથી આ કાર્ય થઇ શકે તેમ નથી, પરંતુ અરિહંત પરમાત્માની ભકિતના અને અજ્ઞા આરાધનાના પ્રભાવે પુદ્ગલનો રાગ નષ્ટ થઈ અનાદિ કાળનો ભવરોગ નાશ પામશે એવી સંપૂર્ણ શ્રદ્ધા છે. (પ) હું-આત્મા અનાદિ કાળથી છું. શરીર અને ઇન્દ્રિયોને મારા માનીને અનાદિ કાલીન કર્મ સંયોગવશાત્ વિષયોમાં આસકિત કરવા દ્વારા કષાય અને રાગ-દ્વેષ વશ લોહચુંબક માફક કર્મ વર્ગણાઓને આત્મ પ્રદેશોની સાથે એકઠી કરી, તેના ફલ સ્વરૂપ સંસારમાં પરિભ્રમણ ચાલુ રાખ્યું અને અનંત કાળ પર્યત અવ્યવહાર રાશિમાં એક મુહૂતમાં ૬૫૫૩૬ વાર જન્મમરણના દુઃખ ભોગવતાં અકામ નિર્જરાની સાથે સિદ્ધ પરમાત્માના ઉપકારથી વ્યવહાર રાશિમાં આવ્યો. પછી અથડાતા - કૂટાતા, વિવિધ પ્રકારનાં દુઃખો ભોગવતા સ્થાવરમાંથી ત્રસકાયમાં આવ્યો, અને પાછો સ્થાવરમાં ગયો. એ રીતે આવતાં - જતાં અરિહંત પરમાત્માનો ભેટો પણ થયો હશે, ઉપદેશ પણ મળ્યો હશે, પરંતુ મારા આત્માની પીછાન કરી નહિ. જડ-ચેતનનું ભેદજ્ઞાન થયું નહિ, તે કારણે ભટકતાં ભટકતાં વર્તમાન કાળમાં આર્યદેશ, મનુષ્યગતિ, ઉત્તમ કુળ, અરિહંત પરમાત્માનું શાસન, જૈન ધર્મ તથા દેવ - ગુરુ કૃપાથી ઉત્તમ મનુષ્ય જન્મ મળ્યો. અરિહંત પરમાત્માના અનહદ ઉપકારથી તારક તીર્થ મળ્યું. તેના પ્રભાવે જાગૃત શા આવી. આત્મભાન થવાથી જડ-ચેતનના ભેદજ્ઞાનની ચોંટ લાગી. હું ચેતન, સિંહ સમાન અનંત શકિત વાળો, અરૂપી, શાશ્વત, અણાહારી, આપ સ્વભાવમાં - જ્ઞાન, દર્શન, ચારિત્રમાં રહેનારો એમ સમજમાં આવ્યું. ફરી પુદ્ગલની પાછળ પાગલ બન્યો. પણ પુદ્ગલ સડણ, પડણ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy