SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ કરનારું છે. તે સિવાયના જીવોનું ભવ્યત્વ તેમને પોતાને મોક્ષ આપનારું છે. તીર્થકરનો સ્વભાવ જ એવો છે ચિંતામણી રત્ન જેવો. તે જ્યાં હોય ત્યાં લોકોને ન્યાલ કરે છે. બીજાને ઉપકાર કરવો તે જ એમનો સ્વભાવ છે. કાચ પ્રગટ છે અને રત્ન માટીમાં મળેલું છે, છતાં માટીમાં રહેલ જાતિમાન રત્ન ઘણું કિંમતિ છે. નિગોદમાં રહેનાર તીર્થકરો જાતિવંત રત્ન સમાન હોય છે. નિગોદમાં રહેલા તીર્થંકરો શું ઉપકાર કરે ? ગણધર ભગવંતો પણ નિગોદમાં રહેલા તીર્થકરોની સ્તુતિ કરે છે એટલે ગણધર ભગવંતો આદિના સ્તુતિના આલંબનરૂપ બનીને ઉપકાર કરે છે. મોક્ષમાં ગયેલા તીર્થંકરના જીવો દ્રવ્ય તીર્થકર છે. ત્યાં રહેલા પણ બીજા સિધ્ધ કરતાં દ્રવ્ય નિક્ષેપે તીર્થંકરની સ્તુતિ લાભદાયી થાય છે તે સ્તુતિના આલંબનરૂપ પોતે બને છે. તીર્થકરની તો ત્રણે અવસ્થા - આદિ (નિગોદની-એકેન્દ્રિયાદિ ભવો) મધ્ય '(તીર્થકરની) અંત્ય (મોક્ષ) સ્તવનીય છે. બધા અરિહંતો જેમાં રહેલા છે તે આઈજ્ય ધ્યાન કરવા લાયક છે. આઈજ્ય એટલે બીજા ઉપર ઉપકાર કરવાપણું તે આઈજ્ય છે. પોતાનું અસ્તિત્વ બીજાને ઉપકારક બને તે આહત્ત્વ છે. અરિહંતની ઉપાસના નામાદિ નિક્ષેપે કરીને, આઈજ્યનું ધ્યાન કરવું. અરિહંતો પ્રથમ પદે એટલા માટે છે કે તે વચ્ચે ન હોય તો નવપદમાંથી એકે પદ ઉત્પન્ન થતું નથી. ૩૬. “લોગ પોગરોણ ત્રિપદીમાં સમગ્ર દ્વાદશાંગીનું - જ્ઞાન રહેલું છે. તે પણ બીજબુદ્ધિના ધણી ગણધરોને જ થઈ શકે છે. આ ત્રિપદીનું જ્ઞાન મળ્યા પછી જ લોકાલોક જેમાં સમાય તેવું તત્ત્વ “ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય યુકત સત્' આ આવ્યા પછી નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિ પ્રાપ્ત થાય છે. વિશ્વાત્મક થવું હોય, આત્મ વિસર્જન કરવું હોય ત્યારે સત્’ને મુખ્ય બનાવવું. “એ સત્ કેવું ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યાત્મક છે કે આ ત્રિપદી સાંભળતાં જ ગણધરોને સમાધિ લાગી ગઈ. એ સમાધિમાં વિશ્વનું જ્ઞાન થઈ ગયું. બૌધ્ધો એકલું ક્ષણિક માને છે તે કદાચ સમાધિ મેળવે પણ નિર્વિકલ્પ સમાધિ નહિ મળે. પણ ઉત્પાદ વ્યય, ધ્રૌવ્યાત્મક (જીવવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy