SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૧ ખીર છે. એ ત્રણની એકતા તે મધુર પરિણામ છે. સહભાવ ગુણરૂપી પર્યાયની એકતા થાય તે સમ્મ સામાયિક છે. પર્યાયમાંથી દ્રવ્યમાં જવું તે સામાયિક છે. પર્યાય વિશેષ છે ત્યાં સુધી અશાન્તિ છે. ગુણ પર્યાયવાન આત્મદ્રવ્યમાં જવું જોઇએ. તે ‘આયા સામાયિઅં’, સમુદ્રનું તળીયું ‘નિસ્તરંગ મહોદધિ કલ્પ' છે તેમ આત્મા નિસ્તરંગ મહોદધિ કલ્પ છે. ‘નિર્વાત દીપ સન્નિભ' (પવન વિનાના દીવા જેવી સ્થિર) અવસ્થાની જેમ ચારિત્રમાં સ્થિરતા નિજ ગુણમાં છે. ચારિત્રની અભિલાષા હોય તો જ સમ્યક્ત્વ કહેવાય. દોષવાળા જીવો કરૂણા પાત્ર હોય ત્યાં સુધી બરોબર છે પણ નિંદા પાત્ર બન્યા તો આપણે તેનાથી નીચે ઉતરી જઇએ. સન્માન પરમેષ્ઠિઓને કરીએ છીએ, આપીએ છીએ, આપે તે આગળ વધે છે, માગે તે નીચે ઉતરે છે. આપવું તે ધર્મ છે. ૩૪. માગવાની વૃત્તિમાંથી છુટવા માટે મોક્ષ માંગવાનો છે. માગવાની વૃત્તિ નાશ પામો તે મોક્ષ માગ્યો કહેવાય. ઈચ્છા રહિત થવાની ઇચ્છા તે મોક્ષ. ૦ ૦ ૦ જીવ ઉપર પ્રેમ રાખે તેને શિવ આપે, તે શકિત જીવમાં છે. કુંથુઆમાં પણ ઇશ્વરીય શકિત છે. જીવ તત્ત્વ ઉપર પ્રેમ કરવો, કીડી કુંથુઓ તે તો પર્યાય છે. પણ તેમાં જીવ છે તેનું અપમાન નરકે મોકલે અને તેનું બહુમાન સ્વર્ગ આપે છે. મોક્ષ આપવાની તાકાત સિદ્ધના જીવોમાં છે. સિધ્ધના વોમાં એવી શકિત છે કે અનાદર કરીએ તો નિગોદ અને તેના બહુમાનથી મોક્ષ મળે છે. અત્યાર સુધી ગમે તેટલો અનાદર પાપ કર્યું હોય પણ પરમેષ્ઠિઓને શરણે જતાં જ તે શરણાગત વત્સલ હોવાથી સર્વ ગુના માફ કરે છે. - ૩૫. તિર્થંકરત્વ પાંચે કલ્યાણકો એક સરખા પૂજ્ય છે. નિગોદથી માંડીને મોક્ષ પર્યંતની તીર્થંકરની કલ્યાણકારી અવસ્થારૂપ જે આર્હત્ત્વ છે તે પૂજ્ય છે. તેમની બધી અવસ્થા પૂજ્ય છે. તીર્થંકરનું ભવ્યત્વ સકલ લોકનું કલ્યાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy