SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ રપ૬ અહિંસાદિ પાંચ કાયાને સ્થિર કરે છે. પ્રવૃત્તિ ધર્મના અંગ - દાન, શીલ, તપ, ભાવ પણ અનુક્રમે તન, મન, ધનનો સદ્ઉપયોગ રૂપ છે. તન વડે શીલ અને તપ, મન વડે ભાવ, અને ધન વડે દાનધર્મ સધાય છે. તેમાં પરિણામે મોહ અને ક્ષોભરહિત આત્મ પરિણામ સાધ્ય છે. ધર્મના અંગો-દેવપૂજા, ગુરુ ઉપાસના, અને સ્વાધ્યાય આદિ પણ મોહ ક્ષોભ રહિત આત્મપરિણામ ઉપજાવવાના સાધનો છે. ચતુર્થ ગુણસ્થાનકથી માંડીને ચૌદમાં ગુણસ્થાનક સુધીના ગુણસ્થાનકો અનુક્રમે મોહ અને ક્ષોભરહિત આત્મ અવસ્થાના દર્શક છે. નમસ્કાર મહામંત્રના માનસ જાપ વડે તે કાર્ય સરળપણે સધાતું હોવાથી તેને સઘળા શ્રુતનો સાર અને સઘળા ધર્મનો અર્થ કહ્યો છે તે યથાર્થ છે. પરમેષ્ઠિ નમસ્કાર, સારઃ સધર્મ કર્મસુ / નવનીતં યથા દનો, કાવ્યત્વ ચ યથા ધ્વનિઃ // “નમો અરિહંતાણં” સંકલ્પ વિકલ્પરૂપી ભાવશત્રુઓને હણનારાઓને નમસ્કાર થાઓ. આ નમસ્કાર નિર્વિકલ્પતાનો સાધક છે. “નમો અરિહંતાણં” અરિહં - આત્મા - શુધ્ધાત્માને નમસ્કાર વડે અભેદોપાસના થાય છે. નોંધ:- મનનું નિતરંગ થવું તે મોહરહિતતા છે અને કાયાનું ક્ષોભરહિત થવું તે ક્ષોભરહિતતા છે. માનસજાપ મનને નિસ્તરંગ બનાવે છે અને કાયાને નિઃસ્પદ બનાવે છે. આત્મવસ્તુનો સહજ સ્વભાવ પ્રગટે છે. ૨૯. પ્રભુનું નામ અને પ્રભુનું રૂપ પ્રભુના નામથી પાપનો નાશ, પ્રભુના રૂપથી પુણ્યનો પ્રકાશ, પ્રભુના દ્રવ્યથી આત્મબોધ અને પ્રભુના ભાવથી શરણગમન. આઈજ્ય સકલ અરિહંતોમાં રહેલું છે. સિદ્ધોનું અધિષ્ઠાન છે અને આચાર્ય ઉપાધ્યાય સાધુનું ઈશાન છે. તેથી ઉપર મૂજબ ચારે નિક્ષેપનાં ફળ છે. નામ-આકૃતિદ્રવ્ય-ભાવ અનુક્રમે પાપનાશ, પુણ્યલાભ, આત્મજ્ઞાન, આત્મધ્યાનનું પરમ કારણ બને છે. ભવ્યત્વ પરિપાક કરવાના સઘળા ઉપાયોનો સંગ્રહ આહજ્યના ધ્યાનમાં અને નામાદિ વડે તેની ઉપાસનામાં છે. જાણવા અને જોવા લાયક વિશ્વની સર્વ વસ્તુઓનો સંગ્રહ પ્રભુના નામ અને રૂપમાં આવી જાય છે. વિશ્વની સર્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy