SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૭ શ્રેષ્ઠ સમૃદ્ધિનું દર્શન પ્રભુ મૂર્તિમાં અને મનન પ્રભુના નામમાં છે. નામ મંત્ર વડે શુદ્ધ આત્મ તત્ત્વનું મનન થાય છે. પ્રભુના રૂપ વડે શુદ્ધ આત્મતત્ત્વનું ધ્યાન થાય છે. આત્મ તત્ત્વને જાણવાથી બધી વસ્તુઓ જણાઇ જાય છે. આત્મ તત્ત્વને જોવાથી બધી વસ્તુઓ જોવાઇ જાય છે. જીવમાં જીવ બુદ્ધિ તે બોધિ અને જીવમાં શિવ બુદ્ધિ તે સમાધિ છે. શ્વાસ એ દ્રવ્ય પ્રાણ છે અને વિશ્વાસ એ ભાવ પ્રાણ છે. આત્મતુલ્ય વૃત્તિ અને પ્રવૃત્તિ તે અધ્યાત્મ છે. અને પરમાત્મ તુલ્ય વૃત્તિ અને વર્તન તે યોગ છે. ૐ ના જાપથી બલ અને પરાક્રમ વધે છે અને તે વડે આર્ત્ત રૌદ્ર ધ્યાનનો નાશ થાય છે, અર્જુના ધ્યાનથી વીર્ય અને સમુત્થાન વધે છે. તે વડે ધર્મ અને શુકલ ધ્યાનનો લાભ થાય છે. જ્યાં ઇચ્છા છે ત્યાં કલુષિતતા, મલીનતા, અપવિત્રતા અને આર્ત્તધ્યાન છે. સિદ્ધિઓની ઇચ્છા કરવી તે આત્મ સ્થિતિમાંથી નીચે સરી પડવા જેવું છે. ઇચ્છાઓનો સર્વથા ત્યાગ આત્મ સ્થિતિમાં પ્રવેશ કરવાનો રાજમાર્ગ છે. તે કારણે મનને આત્મ ધ્યાનમાં જોડી રાખવું એ મનની શકિતનો સારામાં સારો ઉપયોગ છે. પરમાત્મા - પરમ આત્મા. ઉત્કૃષ્ટ આત્માનું હૃદયમાં ચિંતન સ્મરણ વગેરે કરવું તે રૂપાતીત ધ્યાન છે. શુદ્ધ ષટ્કારકના ધ્યાનથી કષાય વિગેરે વૃત્તિઓ ક્ષીણ થતી જાય છે. અશુભભાવ - દુશ્મનનું ઘર. તેમાંથી છુટવાનો ઉપાય - દુષ્કૃતગર્હ. શુભ ભાવ - મિત્રનું ઘર. તેમાંથી છુટવાનો ઉપાય - સુકૃતાનુમોદન. શુદ્ધ ભાવ ઘરનું ઘર. તેને પામવાનો ઉપાય - શરણગમન. ૩૦. ભગવાનને હૃદયમાં કેવી રીતે લાવવા ? પ્રભુના નામ દ્વારા ભગવાનને હૃદયમાં લાવી શકાય છે. પ્રભુના રૂપના દર્શન દ્વારા ભગવાનને હૃદયમાં લાવી શકાય છે. પ્રભુના ગુણ ચિંતન દ્વારા ભગવાનને હૃદયમાં લાવી શકાય છે. ચાર નિક્ષેપાની આરાધના દ્વારા ભગવાનને હૃદયમાં લાવી શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy