SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૫ પશ્યતીમાં જવા માટે મધ્યમા સેતુ તુલ્ય છે અને મધ્યમામાંથી પરામાં જવા માટે પશ્યતી એ સેતુ તુલ્ય છે. આહતમાંથી અનાહતમાં જવા માટે વર્ણમાળા સેતુ છે. વર્ણાવલિની વિચ્યુતિ વડે અવ્યક્તમાં જવા માટે અનાહત એ સેતુ છે. વિકલ્પ ધ્યાનાદિ ચાર પ્રકારો વડે નામાદિ અરિહંતની આરાધના થાય છે. સાદૃશ્ય અસ્તિત્વ અને સ્વરૂપ અસ્તિત્વ વડે એકતાની ભાવના અને તે વડે નિશ્ચલ ધ્યાનની પ્રાપ્તિ થઈ શકે છે. ૨૭. જ્ઞાન અને અનુભવ બુદ્ધિથી જ્ઞાન વધે છે, વિશેષ પ્રકારની ભકિત એટલે કે લાગણીથી પરમાત્માનો અનુભવ થાય છે. જ્ઞાન કરતાં પણ અનુભવ અનેક રીતે ચઢીયાતો છે. અનુભવમાં ભકત અને ભગવાન વચ્ચે આત્મીયતા પૂર્વક એક્તા અનુભવાય છે. ૨૮. વાસના વિરૂદ્ધ ઉપાસના વાસનાને જીતવાનું અનન્ય સાધન ઉપાસના છે. પ્રાકૃતમાં ઉપાસનાનું રૂપ ઉ+વાસના ઉગતા વાસના = ઉવાસના - ઉપાસના થાય છે. ધર્મનો એક અર્થ મોહ અને ક્ષોભરહિત આત્મપરિણામ છે. શ્રી નમસ્કાર મંત્રમાં, પુનઃ પુનઃ માનસિક ઉચ્ચારણમાં મોહ અને ક્ષોભ નિવારણ કરવાની શકિત પ્રત્યક્ષ પણે અનુભવાય છે. મોહ અને ક્ષોભરહિત આત્મપરિણામ ચોદપૂર્વનો સાર છે. અને તે પરિણામને સહજ રીતે પેદા કરનાર શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ પણ ચૌદપૂર્વનો સાર સાબિત થાય છે. મનનું નિઃસ્તરંગ થવું તે મોહરહિતતા છે અને કાયાનું નિસ્યંદ થવું તે ક્ષોભરહિતતા છે. નમસ્કારના ૬૮ વર્ણોનું વિધિપૂર્વક ઉચ્ચારણ તે ભાષ્ય જાપ - તે ઉચ્ચારણ જ્યારે પોતે જ માત્ર સાંભળી શકે ત્યારે તે ઉપાંશુ છે અને બહિર્જલ્પાકાર અન્નપ્પાકાર થાય ત્યારે તે માનસ જાપ છે. માનસ જાપ જ મટીને મનને નિસ્તરંગ અને કાયાને નિસ્યંદ બનાવે છે. મોહ અને ક્ષોભરહિત આત્મપરિણામનું બીજું નામ “વત્યુ સહાવો ધમ્મો” ધર્મને આત્મવસ્તુનો સહજ સ્વભાવ પણ કહી શકાય. તેનું પ્રગટીકરણ ક્ષાન્ત્યાદિ દશ ધર્મ રૂપે અને જ્ઞાનાદિ રત્નત્રયી મોક્ષમાર્ગ રૂપે પ્રગટ થાય છે. જ્ઞાન-દર્શન મનને નિર્વિકલ્પ બનાવે છે. ચારિત્ર કાયાની સ્થિરતા પેદા કરે છે. ક્ષમાદિ ચાર મનને નિસ્તરંગ બનાવે છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy