SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ કાળધર્મ પામ્યાના થોડા દિવસ પછી ગીરનારની યોગભૂમિમાં શૂન્યમાં અટવાઈ ગયેલા સાધકને ‘અંતરનાદ’ સંભળાય છે. પહેલાં તો ન સમજાયું કે અંતરનાદ ક્યાંથી આવે છે ! "" હું ગુરુ અને તું શિષ્ય એમાં મારો નિષેધ નથી. આત્મદ્રવ્ય રૂપ મહાસાગરમાં પર્યાયના બે તરંગો કેટલીયે વખત ઉત્પન્ન થયા અને વિલીન થઈ ગયા. નામ રૂપાત્મક સંસાર સાગરમાં આવી લીલા કેટલીયે વખત ઉત્પન્ન થઈ અને વિલીન થઈ ગઈ, પણ તું જે છે તે શાશ્વત, નિત્ય, ચૈતન્યનો મહાસાગર છે. હું પણ નિત્ય નિરંતર સા વિદ્યમાન મહાચૈતન્ય સ્વરૂપ આત્મા છું. વિશ્વમાં ગુરુ-શિષ્યના સંબંધો શાશ્વત છે. ત્યાં ગુરુ ભદ્રંકર રૂપે હોય કે કોઈ પણ રૂપે હોય. શિષ્ય બાબુ કડી રૂપે હોય કે અન્ય કોઈ રૂપે હોય એમાં શું ફરક છે! કોઈપણ નામ રૂપાત્મક પર્યાય હોય-અંતે તો આત્માનો જ છે. પર્યાયો આત્મામાંથી ઉત્પન્ન થઈ આત્મામાં વિલીન થઈ જાય છે. આત્મ દ્રવ્ય સદા શાશ્વત છે. તરંગો મહાસાગરમાંથી ઉત્પન્ન થઈ તેમાં જ વિલીન થાય છે. સાગર છે તો તરંગમયતા છે. સમુદ્ર સત્ય છે. તેનો તરંગ રૂપ પર્યાય પણ સત્ય છે. પરંતુ પલટાતા પર્યાય વચ્ચે દ્રવ્યના સદા અસ્તિત્વને તું સમજ. ગુરુ હાજર જ છે. ગુરુ સદા માર્ગદર્શક રૂપે હાજર હોય છે. તે વાસ્તવિકતા સમજ. જે સમયે વ્યય છે તે જ સમયે ઉત્પાદ છે. અને તે જ સમયે દ્રવ્ય ધૌવ્ય પણ છે. પર્યાયમાં મૂંઝાઈને શોક કરવો તે નર્યું અજ્ઞાન છે. દ્રવ્યની શાશ્વત સ્થિતિને ભાવિત કર. તારા અને મારામાં અંતર પણ શું છે ? આપણા અને પરમાત્મામાં પણ અંતર શું છે ? ચૈતન્ય અંશથી સર્વ વ એક છે તે ભાવથી ભાવિત બની આત્માની પૂર્ણતામાં મગ્ન બન. અહીં તું તારા સ્વરૂપે સ્વતંત્ર છે, હું મારા સ્વરૂપમાં સ્વતંત્ર છું. છતાં પણ ચૈતન્યની મહાલીલામાં આપણે એકરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy