SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ to પરમ પૂજ્ય કરૂણાવંત પંન્યાસજી મહારાજની વિશિષ્ટ મહાપ્રભાવિક આકૃતિમાં એ દિવ્ય ખૂબી હતી કે તેઓ બોલે થોડું અને સાંભળે ઘણું. તેથી અહીં નોંધ્યું છે તેમાં પોતે થોડું બોલીને સાધક ને પૂછી હમણાં શું આરાધના ચાલે છે? તે સાંભળી તેમાં ઉમેરો કરી માર્ગદર્શન આપતા તે તેમની પાસે બેસનાર સૌ કોઈને વિદિત છે. यस्य द्दष्टि कृपावृष्टि, गिरः शमसुधाकिरः । तस्मै नमः शुभ - ज्ञान - ध्यानमग्नाय योगिने ॥ જેમની દષ્ટિ કરૂણાની વૃષ્ટિ જેવી છે, જેમની વાણી ઉપશમ અમૃતના છંટકાવ કરનારી છે, પ્રશસ્ત જ્ઞાન અને ધ્યાનમાં જે મગ્ન છે, તે યોગમાર્ગના સ્વામિને નમસ્કાર હો! - આ શ્લોકનો ભાવ એ જેમનું જીવન છે તેવા પૂજ્ય ગુરુદેવશ્રીને અમારા કોટિ કોટિ નમસ્કાર હો!! જેમના સાન્નિધ્યમાં બેસવા માત્રથી અને જેમની કરૂણાભરી પ્રશાંત મુખમુદ્રાના દર્શન કરવા માત્રથી મનના વિવિધ સંતાપો ક્ષણવારમાં શમી જતા તેવા પૂજ્ય ગુરુ ભગવંતને કોટિ કોટિ નમસ્કાર હો! ! ! મહાયોગી આનંદઘનજીની આત્મરમણતાની જે યાદ આપે છે, ઉપાધ્યાય યશોવિજયજીની સ્યાદ્વાદ ભાવપૂર્વકની ન્યાયપૂર્ણ શૈલીની જે ઝાંખી કરાવે છે, સૂરિપુરંદર હરિભદ્રસૂરિશ્વરજીની જિનભકિતનું જે સ્મરણ કરાવે છે, શ્રી ચિદાનંદજી મહારાજના ચૈતન્ય વિલાસની યાદી અપાવે છે, શ્રી અભયકુમારની ધર્મનિષ્ઠ વિચક્ષણ બુદ્ધિનું જે સ્મરણ કરાવે છે તે આ કાળના આનંદઘનજી પૂજ્ય પંન્યાસ ભદ્રંકરવિજયજી મહારાજને કોટિ કોટિ વંદના હો! ! ! સબ ધરતી કાગદ કરું, લેખની સબ બનરાય, સાત સમુદ્રક મસી કરું, ગુરુ ગુણ લીખા ન જાય. સમતાભાવનિષ્ઠ, પૂજ્યપાદ, પંન્યાસજી ભગવંત શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ જેમણે જગતને મૈત્રીનું અમૃત પાયું, જેમણે જગતને યોગ-સામ્રાજયનો મહિમા સમજાવ્યો, જેમણે જગતને ખમવાની કળા શીખવાડી, જેમણે જગતને શ્રી નવકારની માયા લગાડી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy