SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ અહં પદ તે મંત્ર દેહવાળા સાક્ષાત્ જિનેશ્વર છે” એવું શાસ્ત્ર વચન છે. તે એ બતાવે છે કે અહિં મંત્ર અને તેના વાચ્ય શ્રી અરિહંત પરમેષ્ઠિ તે બંન્ને અપેક્ષાએ અભિન્ન છે. મંત્રની સૂક્ષ્મ અવસ્થા વિમર્શરૂપ છે. વિમર્શનું તાત્ત્વિક સ્વરૂપ નિર્વિકલ્પ જ્ઞાન છે. આવા વિમર્શને જ તાત્ત્વિક મંત્ર દેવતા યા ને પદમયી દેવતા કહેવામાં આવે છે. મંત્રવાદીઓ પ્રકાશને શિવ તત્ત્વ અને વિમર્શને શકિત તત્ત્વ કહે છે. એક દિવસ પૂ.ગર મહારાજે એક અદૂભૂત પ્રયોગ બતાવ્યો. ૪. આપણી આજુબાજા આભામંડળ કેવી રીતે બનાવવું ? હૃદય મંદિરમાં બિરાજમાન પરમાત્માનો દિવ્ય પ્રકાશ તમારી અંદર પ્રકાશી રહ્યો છે. તે પ્રકાશ તમારા આખા શરીરમાં ફેલાય છે. આ પ્રકાશ તમારા શરીરની ચારે તરફ દિવ્ય આભામંડળ રચે છે. મનુષ્ય પોતાની આસપાસ એક વાતાવરણ સર્જે છે. આ આભામંડળને જૈન પરિભાષામાં “લેશ્યા' કહે છે. વિજ્ઞાન અને Radio activity કહે છે, કેટલાંક એને Human aura કહે છે. તમારા આભામંડળમાં એક દિવ્ય આકર્ષણ શકિત રહેલી છે. તેને Magnetic prsonality પણ કહેવાય છે. પરમાત્માનો દિવ્ય પ્રકાશ આપણી અંદર સૂર્યની જેમ પ્રકાશી રહ્યો છે અને તેના કારણે આપણી આસપાસ દિવ્ય આભામંડળ રચાય છે. જ્યારે તમને જીવનમાં વિશેષ રક્ષણાત્મક બળ (Extra Protection)ની જરૂર પડે ત્યારે આવું ધ્યાન ખાસ કરો. આપણી અંદર ચાલતા વિચારોનું આ આભામંડળ ચોવીસે કલાક આપણી સાથે જ રહે છે. આપણી અંદર પરમાત્માના, આત્માના, પ્રાણીમાત્રના કલ્યાણના અને પ્રેમના વિચારો ચાલતા હશે, તો આપણી આજુબાજુ સર્જાયેલ આભામંડળને લીધે આપણી નજીક આવનાર દુઃખી વ્યક્તિને પણ સુખનો અનુભવ થશે. અધર્મી માણસમાં પણ ધર્મની ભાવના ઉત્પન્ન થશે. આપણી નજીક આવનારને પરમાત્મા ઉપર શ્રદ્ધા અને ભકિતનો પરિણામ થશે. અશાંત વ્યક્તિને શાંતિ મળશે. માટે નિરંતર વિચારો કે પરમાત્માની દિવ્યશકિતઓ મારી અંદર કાર્યશીલ છે; મારા હૃદયમાં બિરાજમાન પરમાત્મામાંથી ગુણો અને શકિતઓનો વિસ્ફોટ થવાથી હું પ્રેમસ્વરૂપ છું. હું આનંદસ્વરૂપ છું. શકિત અને સામર્થ્યથી પરિપૂર્ણ છું. ગુણ-સમૃદ્ધિથી ભરેલો છું. આ ભાવોનું દિવ્ય તેજ-આભામંડલ તમારી આસપાસ નિરંતર રહેશે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy