SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૫ તેમ તમારા વ્યકિતત્વનો અદ્ભુત અને આશ્ચર્યજનક વિકાસ કરી શકશો. અને જગતના જીવોને પણ તેનો લાભ મળશે. હજારો આત્માઓને જિનકથિત સાચો જીવનમાર્ગ બતાવી શકશો. ૫. સિદ્ધસેન દિવાકર સૂરિ વિરચિત શક્રસ્તવ સંસ્કૃત ગદ્યમાં પરમાત્માના ૨૭૩ વિશેષણોથી યુકત ૧૧ આલાવા તથા ૧૧ ચૂલિકાઓ સહિત આ શ્રી વર્ધમાન શક્રસ્તવની પ્રાપ્તિ, પૂજ્ય સિધ્ધસેન દિવાકર સૂરિજી મહારાજને તેમના ઉપર પ્રસન્ન થયેલા ઈન્દ્ર મહારાજા દ્વારા થઈ હતી. આ સ્તોત્રમાં મંત્ર ગર્ભિત, દિવ્ય અર્થથી પરિપૂર્ણ, સર્વોત્કૃષ્ટ વિશેષણો દ્વારા શ્રી અરિહંત પરમાત્માની સ્તવના કરવામાં આવી છે. આ સ્તોત્રનું ભકિતભાવ પૂર્વક નિયમિત આરાધન કરનાર આરાધકોને મુક્તિની પ્રાપ્તિ થાય છે અને મુકિત ન મળે ત્યાં સુધી આનુષંગિક અનેક લાભ થાય તેવું વર્ણન ૧૧ ચૂલિકાઓમાં કરવામાં આવેલું છે. આ સ્તોત્રનું વિશિષ્ટ આરાધન કરવા માટે ૧૧ આલાવા પૂરા થયા પછી તેનો મંત્ર “ૐ હ્રીં શ્રીં અહમ્ નમઃ' ની પાંચ માળા ગણવી, તે પછી આગળના શ્લોક બોલવા. આ વસ્તુ પૂ. ગુરુ મહારાજે સાધકને બતાવેલી. આ સ્તોત્રમાં અભૂત વિશેષણોપૂર્વક અરિહંત પરમાત્માની સ્તુતિ કરેલી છે, તે ભાવિત કરવા જેવું છે. ૬. પૂ. ગુરુ મહારાજનો પ્રિય શ્લોક ध्याने बिभति स्थैर्य, ध्येयरुपं परिस्फुरम् । आलेखितमिवाभाति, ध्येयस्यासन्निाधावपि ॥ અધ્યાત્મપદ સાર પાનું - ૧૭૪ ' ધ્યાન જયારે સ્થિરતાને ધારણ કરે છે ત્યારે બેય નજીક ન હોવા છતાં (સામે) આલેખિત હોય એવું અત્યંત સ્પષ્ટ ભાસે છે. ધ્યાનમાં ધ્યાતા ધ્યાન અને ધ્યેયનું એકત્વ થઈ જાય છે. પછી અનિર્વચનીય અને ચિન્મય એવી પર બ્રહ્મ નામની જયોતિ સ્કૂરે છે તેની સ્કૂરણાથી જ સર્વ ક્રિયાની સફળતા થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy