SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૩ ધ્યાતા, ધ્યાન, ધ્યેયની એકતા દ્વારા સિદ્ધ પરમાત્મારૂપે આત્માનું ધ્યાન કરવું. ઈચ્છાઓનો સર્વથા ત્યાગ આત્મસ્થિતિમાં પ્રવેશવા માટેનો રાજમાર્ગ છે. સિદ્ધિઓની ઈચ્છા કરવી તે આત્મસ્થિતિમાંથી નીચે સરી પડવા જેવું છે. જ્યાં ઇચ્છા છે ત્યાં કલુષિતતા, મલીનતા, અપવિત્રતા, આર્ત્તધ્યાન છે. તે કારણે મનને આત્મ ધ્યાનમાં જોડી રાખવું તે મનની શક્તિનો સારામાં સારો ઉપયોગ છે. પરમાત્મા એટલે પરમ આત્મા, ઉત્કૃષ્ટ આત્માનું હૃદયમાં ચિંતન સ્મરણ વગેરે કરવું તે રૂપાતીત ધ્યાન છે. ૩. અપ્રમત્ત દશા (ગુણ સ્થાનક ક્રમારોહ) અપ્રમત્ત અવસ્થામાં આત્મ સ્વરૂપના ધ્યાનનો સદ્ભાવ હોય છે. તે ધ્યાનની સાથે સંકલ્પ વિકલ્પની પરંપરાના અભાવરૂપ આત્મ સ્વભાવની નિર્મળતા હોય છે. અપ્રમત્ત દશા સુધી પહોંચવા માટેના સાધનો :આસન જય, આહા૨ જય, નિદ્રા જય ઉપર લક્ષ્ય આપવું. ગુણશ્રેણિ ધ્યાનથી મંડાય છે. પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં ખપતા કર્મ એક સમયમાં પ્રદેશ ઉદયથી ભોગવી ને ખપે છે તે પછી પ્રત્યેક સમયે અસંખ્યાત ગુણું ખપાવે. એ રીતે અંતર્મુહૂર્ત સુધી ચાલે તે ગુણશ્રેણિ ગુણશ્રેણિમાં અઘ્યવસાયનું બળ પ્રયોગપૂર્વક કરેલું હોય છે. પહેલે અનાહત વાજાં વાગે (નમો અરિહંતાણં અનાહત નાદ) ફેર બીજલી કરે પ્રકાશ. (સમ્યગ્ દર્શન આત્મજ્યોતિ તે વિજલી છે.) ભગવાન હૃદયમાં આવ્યા તેનો અર્થ આપણો ઉપયોગ ભગવાનના આકારવાળો બન્યો. ભગવાનને મળવાની આ અદ્ભૂત કળા છે. “જ્યારે શ્રી જિનેશ્વર ભગવંતો મોક્ષમાં ગયા ત્યારે અમારા વિના અહીંના બિચારા જગતનું શું થશે ? એવી કરૂણાથી ધીર એવા તેઓ સર્વ જગતના ઉદ્ધાર માટે પોતાના મંત્રાત્મક શરીરને અહીં મૂકતા ગયા.” આ વચનનું તાત્પર્ય એ છે કે “મંત્ર પોતે વાચ્ય દેવતા (પરમાત્મા)થી થતાં સર્વ કાર્યો કરી શકે છે.” પ્રસ્તુતમાં અર્હ પદ પરમેશ્વર-પરમેષ્ઠિ શ્રી અરિહંત પરમાત્માનું વાચક હોવાથી શ્રી અરિહંત પરમાત્મા તે વાચક પદ રૂપતાને પ્રાપ્ત થયા છે. તેથી અરિહંત પરમાત્માથી અભિન્ન એવું વાચક પદ અહિંત પદમયી દેવતા છે. Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy