SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ આત્માના શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાયનો નિર્ણય કરી તેમાં એકાગ્ર થવું, તે મુકિતનો માર્ગ છે. માટે આ સાધના નિત્ય કરવી. ૨. પ્રભુ નામનું સ્મરણ :- નામનો સંબંધ દ્રવ્ય સાથે છે અને દ્રવ્યનો સંબંધ ગુણ પર્યાય સાથે છે. નામ વડે પ્રભુનું આત્મ દ્રવ્ય સ્મરણ પથમાં આવે છે, જે અનંત ગુણ પર્યાયનું ધામ છે. નિરાવરણ, નિષ્કલંક અને નિરાબાધ છે. પ્રભુ નામ દ્વારા પ્રથમ પ્રભુના દ્રવ્ય, ગુણ, પર્યાયની સદેશ નિજ આત્માના શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાયનું જ્ઞાન થાય છે. છેવટે તે જ્ઞાન ધ્યાન એકત્વમાં પરિણમે છે ત્યારે આત્માનો પરમાત્મ સ્વરૂપે અનુભવ થાય છે. પર્યાયો બદલાય છે તે વિચારથી મમત્વ બુદ્ધિ નાશ થાય છે. દ્રવ્ય સ્થિર છે, તે વિચારવાથી ‘અહં' કર્તૃત્વ બુદ્ધિનો અહંકાર નાશ થાય છે. હું કર્તા નથી, પણ અકર્તા છું. શાતા દૃષ્ટા છું, ધ્રુવ છું, સ્થિર છું આ વિચાર મિથ્યાકતૃત્વ બુદ્ધિનો નાશ કરે છે. પર્યાયદૃષ્ટિ ‘મમ' ભાવનો નાશ કરે છે. દ્રવ્યદૃષ્ટિ ‘અહં’ મિથ્યાકતૃત્વ બુદ્ધિનો નાશ કરે છે. ‘અહં’ ‘મમ' ભાવનો નાશ થવાથી નિર્વિકલ્પ ચિન્માત્ર બુદ્ધિ ઉત્પન્ન થાય છે, જેનું નામ વીતરાગતા છે. હું એટલે આત્મા, મારૂં એટલે જયાં જયાં ચૈતન્ય છે તે મારૂં છે. “જે અહંકાર મમકારનું બંધનું, શુદ્ધ નય તે હે દહન જેમ ઇંધનં” ૩૫૦ ગાથાનું સ્તવન અર્જુના નમસ્કાર અને ધ્યાન વડે સંકુચિત અહંનું કોચલું ફુટી જાય છે અને ત્રૈલોક્યમાં ત્રિકાલ વ્યાપી બને છે. અર્જુના ધ્યાનથી અહં મમત્વ આત્મ વ્યાપી બને છે. હું- આત્મા, મારૂં - જયાં જ્યાં ચૈતન્ય છે તે મારૂં છે. પર્યાયો દ્રવ્યમાંથી નીકળી દ્રવ્યમાં ભળી જાય છે. દ્રવ્ય પૂર્ણ છે. તેમાંથી નીકળેલ પર્યાય પૂર્ણમાંથી નીકળી પૂર્ણમાં ભળી જાય છે. આ વિચાર ત્રિવિધ તાપ ટાળી શાંતિ - સમતાનો અનુભવ કરાવે છે. શાતા - દૃષ્ટા ભાવમાંથી પણ છેવટે આત્મ સ્વરૂપમાં વિશ્રાંતિ પામવી. સ્વરૂપમાં વિશ્રાંતિથી નિરંજન, નિરાકાર, નિર્વિકાર નિર્વિકલ્પ, સત્ ચિત્ આનંદ સ્વરૂપ થઈને રહેવાશે. - કેવળજ્ઞાનમય, શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર, અવ્યાબાધ સુખ સ્વરૂપ, અનંત આનંદમય, અચિંત્ય શક્તિયુકત, સિદ્ધ પરમાત્માની પ્રથમ ધારણા કરવી. તે પછી અરિહંતપદની જેમ જ તે ધ્યેય-સિદ્ધ પરમાત્માના ધ્યાનમાં લીન થવાથી ધ્યેય સ્વરૂપ (ધ્યેય સદશ) બનેલ પોતાના પર્યાયનું ધ્યાન કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy