SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યારે ગુરુકૃપા મન મૂકીને વરસે ત્યારે સાધકોનાં હૃદય અમૃતથી છલોછલ ભરાઈ જતાં. જ્યારે તેમની સાધનાના અનુભવને દર્શાવનારૂં સત્ય શાસ્ત્રમાંથી મળે ત્યારે તેમના મુખ ઉપર પ્રસન્નતાનું સ્મિત ફરકી જતું. જિનકથિત માર્ગે આત્મસ્વરૂપનું દર્શન કરવું અને અનંત જીવરાશિના કલ્યાણનો ભાવ કરવો આ બન્ને તેમના જીવનનાં રહસ્યો હતો. અને આ બન્ને રહસ્યો સાધના દ્વારા સર્વોત્તમ ભાવો પ્રગટ કરે, ત્યારે ગુરુવાણીને સાંભળનારા મુમુક્ષુને હૃદયમાં પરમાત્મ ભાવની પ્રતિષ્ઠા થાય તે સહજ સ્વાભાવિક છે. • ટૂંકમાં પ.પૂ. પંન્યાસજી મહારાજના હૃધ્યમાં રહેલી પ્રેમની ગંગોત્રીમાંથી વહેતો પ્રેમ પ્રવાહ જ્યારે ભાવ સ્વરૂપ ધારણ કરે ત્યારે તે ગંગોત્રી પ્રેમની મહાગંગા રૂપ બનીને જગતના જીવોને પ્રેમગંગામાં સ્નાન કરાવે અને આ પ્રેમગંગા અનંત જીવરાશિના કલ્યાણની ભાવના યાને “સવિ જીવ કરૂં શાસન રસી” ભાવના સ્વરૂપ બનીને વિશ્વમાં ચાલી રહેલા - નિગોદમાંથી નીકળીને જગતના જીવોને મોક્ષ તરફ ખેંચી જતા અતિ પવિત્ર મધુરરસ ભર્યા મહાસાગરમાં ભળી જાય તે સમયે તીર્થકરત્વને લાયક આત્માઓ વિશ્વના તખ્તા ઉપર ઉપસી આવે છે તે સહજ સ્વાભાવિક છે. સમગ્ર જીવરાશિ ઉપર વરસી રહેલી સ્વયંભૂરમણ સમુદ્ર"ની સ્પર્ધા કરે તેવી અરિહંતોની કરુણાને યોગ્ય આત્માઓ ઝીલે છે અને આ કરુણાને ઝીલતાં ઝીલતાં અનેક આત્માઓ સમ્યગ દર્શન પામે છે. સમ્યગુદૃષ્ટિ આત્માઓ દેશ વિરતિ અને સર્વ વિરતિ પામે છે. કોઈ વિરતિધર આત્માઓ અપ્રમત્ત ભાવ સાધે છે. અપ્રમત્ત મુનિઓ ક્ષપકશ્રેણી આરોહણ કરે છે, ઘનઘાતિ કર્મોનો નાશ કરી કૈવલ્ય સાધે છે. આવી તીર્થકરોની પવિત્ર ભાવનાનું સંતોના હૃદયમાં પ્રત્યક્ષ દર્શન થાય છે. આવા સંતો પરમાત્માના સાચા સંદેશ વાહક છે. આ અનાદિ અનંત વિશ્વને મોક્ષ તરફ લઈ જતા પવિત્ર પ્રવાહને પંચમ કાળમાં જોવો હોય તો આવા સંતોના હૃદયમાં તેનું દર્શન થઈ શકે. તે માટેના ચક્ષુ હોય તેને આવું દર્શન અવશ્ય થાય. તીર્થકરોની કરુણા જેને સ્પર્શી હોય તે મનુષ્ય આવા શાશ્વત જ્યોતના વાહક સમા તીર્થંકરના પ્રતિનિધિને ઓળખી શકે છે. આવા મહાપુરુષોનું જીવન સદ્ગણોના નંદનવન સમું હોય છે. આ નંદનવનના પુષ્પોના પરિમલથી આપણે સૌ પવિત્ર બનીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy