SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુકૃપાથી મનનો મેલ ધોવાઈ જાય છે અને ગુરુના હૃદયમાં રહેલું વાત્સલ્ય રસનું અમૃત શિષ્યને અનુભવના ઊંડાણમાં લઈ જાય છે. આવા સગરનો મેળાપ કોઈ અકસ્માત રૂ૫ થતો નથી તેની પાછળ કાર્યકારણની લાંબી સાંકળ હોય છે, જે જ્ઞાની જ જાણે છે. - પૂજ્ય ગુરુ મહારાજની અંતરની વીણામાં જ્યારે અરિહંતનું સુરીલું મધુર સંગીત વાગતું ત્યારે આપણા આત્માનો મોરલો ડોલવા લાગતો અને તેમના હૃદયમાં ગુંજી રહેલું અરિહંતનું સંગીત જ્યારે વાણી દ્વારા પ્રકાશિત થતું ત્યારે અરિહંતના પ્રેમની ઝણઝણાટી (Romance) સાધકોના હૃદયને સ્પર્શી જતી. ગુરુ ભગવંતના મુખ ઉપર પરમાત્મ પ્રેમનું તેજ વિલસી રહ્યું હતું, તેના દર્શન કરનાર પ્રશાંત આનંદમાં સરી જતા. તેમની આંતર પ્રજ્ઞાની વિલક્ષણ અવસ્થાને તો તેમના ચરણમાં બેસનારા સારી રીતે સમજતા હતા. આવી આંતરપ્રજ્ઞા તો જીવનભરની સાધનાથી પ્રાપ્ત થાય છે. આવી આંતર પ્રજ્ઞાના કારણે ગુરુમહારાજના અતીન્દ્રિય જ્ઞાનનાં બારણાં ખુલી ગયેલાં અને શાસ્ત્ર પ્રકાશના અજવાળે જ્યારે તેમના અંતરના અજવાળાં ઝગઝગતા ત્યારે તેમના નયનોમાં લહેરાતો અમૃત સાગર અમારા જેવા સેવકોના અનુભવમાં આવેલો. મૈત્રીભાવ ભર્યું તેમનું હૃદય કોઇ વખત અમૃતથી છલકાઇ જાય ત્યારે પોતાના અલગ વ્યકિતત્વના કોચલામાં પૂરાયેલી સાધકની ચેતના જાગૃત થઇ જીવસૃષ્ટિમાં વિચરવા લાગતી અને ગુરુ ભગવંત સમષ્ટિના અનંત ભાવોમાં ડૂબી જતા. બે કાંઠા વચ્ચે નદીના નીર ન સમાય અને પૂર આવે અને ચારે કોર પાણી ઊભરાય તેમ પૂ. ગુરુમહારાજનો વિશ્વપ્રેમનો પ્રચંડ પ્રવાહ અમર્યાદિત અવસ્થામાં સલ જીવ સૃષ્ટિને સ્પર્શી જતો તે સમયે અરિહંતનું હૃદય શું છે તે સહજભાવે સમજાતું. જો શક્તિ મળે તો જીવસૃષ્ટિને જિનશાસન પમાડવા શું નું શું કરી નાંખે તેવા ગુરુ હૃદયના રસભર્યા અમૃતનું દર્શન સાચા મુમુક્ષુને થતું. - શારીરિક અતિ કષ્ટભરી તેમની છેલ્લી અવસ્થામાં પણ તેમના દર્શનાર્થેવંદનાર્થે આવનાર મુમુક્ષુને સમગ્ર તત્ત્વના સારને સમાવી લેતા થોડાં વાક્યો કે શબ્દોમાં જિનશાસનનો સાર સમજાવી દેતા. વાણી ન ચાલે તેવી તેમની શારીરિક અવસ્થાના સમયે તેમના નેત્રમાંથી વહેતી કરૂણા દ્વારા મુમુક્ષુઓને અરિહંતની કરુણાનો સ્પર્શ કરાવતા અને અંતરના તેમના મૂક આશીર્વાદથી દર્શનાર્થે આવનારનું દુઃખ દૂર થઈ જતું તેવું અમે નજરે જોયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy