SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો. નિશ્ચય દષ્ટિ હૃદય ધરી, પાળે જે વ્યવહાર; પુણ્યવંત તે પામશે, ભવ સમુદ્રનો પાર. આવી અનેક વાતો તે એટલા માટે કહેતા કે તેમના હૃદયમાં પ્રેમનો ધોધ વહેતો હતો. તેમની પાસે આવનાર મુમુક્ષુ તત્ત્વને પામે, એકાન્તમાં ખેંચાઈ ન જાય, નય સાપેક્ષ વિચારો કેળવે, જીવમાત્ર પ્રત્યે પ્રેમાળ બને, પ્રભુભકિતમાં લીન બની આત્મ કલ્યાણ સાધે તથા અહંકારનું કોચલું તોડી, નમસ્કાર ભાવમાં આવીને પ્રભુના ચરણમાં સમર્પિત થાય. આવા અનેક કરુણાભીના ભાવપૂર્વક તે જ્યારે તત્ત્વનિરૂપણ કરે ત્યારે તેમના વચનમાં પ્રેમ ભરેલો હોવાથી તે સાંભળનાર મુમુક્ષુઓના હૃદયમાં અમૃતનો સંચાર થતો અને શેરડી અને દ્રાક્ષ કરતાં પણ વધુ મીઠાશ અનુભવાતી. સ્વાર્થના બંધિયાર ઓરડામાં પૂરાયેલાને વિશ્વ પ્રેમના આકાશમાં ઉડ્ડયન કરવાનું અઘરું તો જરૂર લાગે; પણ ગુરુકૃપા જેના ઉપર ઉતરે તેને તે સહજ થઈ જાય છે. તેની અવળી મતિ સવળી થઈ જાય છે. તેનો સ્વાર્થ પરમાર્થમાં પલટાય છે. તેનો અહંકાર નમસ્કારમાં પલટાય છે. તેની નબળાઈઓ નમ્રતામાં પલટાય છે. વાસનાઓ ભાવનામાં રૂપાન્તર પામે છે. તેનો “અહં” “અહ” માં પલટાય છે. જેને ગુફપા મળી છે તેનામાં ઈચ્છાઓનું ઉર્ધ્વગમન થાય છે, સત્યનું સંશોધન થાય છે, અનંતના આશીર્વાદ મળે છે, પૂર્ણતાનો પરમાનંદ પ્રગટે છે. ગુરુકૃપાથી આપત્તિઓનું અવમૂલ્યન, ચિત્તાનું ચૂરણ, સૌભાગ્યની સંપ્રાપ્તિ, આત્મસિદ્ધિનું આયોજન અને અવિનાશીપણાનો આદર્શ પ્રાપ્ત થાય છે. જ્યારે જીવનમાં સદ્ગુરુની કૃપા મળે છે, ત્યારે ક્ષણિક આનંદ અને સુદ્ર રમતોમાં રમતો જીવ વૃત્તિઓનું ઉદ્ઘકરણ કરીને શાશ્વત આનંદને જાણે છે અને માણે છે. શિષ્યનું અહંકારનું કાળું ઢાંકણ સદ્ગુરુ હઠાવીને આતમનાં અજવાળામાં સાધકને મગ્ન બનાવી દે છે. પૂજ્ય ગુરુ મહારાજના નેત્રમાંથી એક જાતની નિર્મળ શાન્તિ ઝરે છે, જેના દર્શનથી સાધકો પરમ શાંતિને અનુભવે છે, અને નેત્રમાંથી પ્રગટ થતા દિવ્ય તેજના વિદ્યુત પ્રવાહો પ્રભુ પ્રેમનો સાધકમાં ઊછાળો લાવે છે અને પ્રભુપ્રેમનો પરમ રસામૃતનો અનુભવ કરાવે છે. તે સમયે પરમાત્માના પરમ સૌંદર્યનો સાધકના અંતરમાં સંચાર થવા લાગે છે. ગરપા-સર્વ અશક્યોના માથે પગ મૂકે તેવી અમોઘ શકિતથી સાધકને ભરી દે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy