SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ આરાધના કરી, અપ્રમત્ત અવસ્થા પ્રાપ્ત કરી, શુકલ ધ્યાન આરોહણ કરી, ધાતી કર્મનો ક્ષય કરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું વગેરે પ્રક્રિયા કલ્પનાથી ભાવનારૂપે આજે જ શરૂ કરવી જરૂરી છે. પરમાત્મ - મીલનની તીવ્ર ઝંખના નિષ્ઠાપૂર્વકના સત્ય સંકલ્પ સિવાય સસ્તુઓ જીવનમાં પ્રાપ્ત થઇ શકતી નથી. સંકલ્પને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે. જ્યારે જીવને પરમાત્માની પ્રાપ્તિની તીવ્ર ઝંખના ઉત્પન્ન થાય છે, ત્યારે પરમાત્માને ત્યાં આવવું પડે છે તેવું જ્ઞાનીપુરુષો કહે છે. મહાયોગી શ્રી આનંદઘનજી મહારાજ કહે છે. કે‘દરિશન પ્રાણજીવન મોહે દીજે બીન દરિશન મોહે કલ ન પરત હૈ તરફ - તરફ તનુ છીજે.’ હે પરમાત્મા, હે કરુણાસાગર, દર્શન આપો. તમારા દર્શન વિના હવે આ દેહમાં પ્રાણ ટકી શકે તેમ નથી. મીરાંબાઇ ભજનમાં ગાય છે. મૈં તો પ્રેમ દીવાની, મેરા દર્દ ન જાને કોઇ.’ આવી તીવ્ર ઝંખના પરમાત્માનાં દર્શન માટે થાય છે ત્યારે મહાપુરુષો કહે છે કે, હોય છે. “સાતરાજ અળગા જઇ બેઠા, પણ ભગતે અમ મનમાંહે પેઠા,” -ઉ. યશોવિજયજી મ૦ જ્યારે સાચી ભક્તિ ઉત્પન્ન થાય છે ત્યારે પરમાત્મા ત્યાં હાજર પરમાત્માનાં દર્શન કે મીલન સિવાય શરીરમાં પ્રાણ ન ટકે. તેવી પ્રભુમીલનની તીવ્ર ઝંખના આપણા જીવનમાં લાવવા માટે સંકલ્પનું બળ વધારવું જરૂરી છે. જ્યારે આપણને આવો પ્રભુમીલનનો સત્ય સંકલ્પ નિષ્ઠાપૂર્વકનો થાય છે. (Appointment with the Highest) ત્યારે પરમાત્માનો અવશ્ય મેળાપ થાય છે, પણ તે માટે પ્રભુ વિરહની એક ક્ષણ વરસ સમાન લાંબી લાગવી જોઇએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy