SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ - C આયુષ્ય કર્મના દળિયા ખુટી પડયા, પુરા થઇ ગયા અને અલખના મધુરખેલમાં ખોવાઇ ગયેલી હું પ્રિયતમા યાને ભકત) વૃક્ષ ઉપરથી ઢળી પડી. “પ્રિયતમ તું મુજ સર્વસ્વ તું મુજ પ્રાણ, તું મુજ ત્રાણ, તું મુજ આધાર, તું મુજ જીવજીવન આધાર” પ્રિયતમને ચરણે અંતિમ શ્વાસ મુક્યો .. પ્રેમના અમૃતમાં ઝીલતાં પ્રેમી પંખીડા છૂટા પડયા. અદ્વૈતના આનંદમાં ભંગ પડ્યો. અભેદમિલન વિરહમાં પલટાયું પણ પ્રિયતમતો અજરઅમર છે એને મૃત્યુ નથી. મૃત્યુનું તીર વાગ્યે ફક્ત પ્રિયતમાને. આ બધું બની ગયું પલકારામાં પ્રિયતમાનો પર્યાય પલટાઇ ગયો.... " પર્યાય બદલાયાને આશરે ૧૦ કે ૧૨ મહિના પસાર થયા હશે એક બહેન પોતાના એક બે મહિનાના બાળકને લઇને પ્રભુના સમવસરણમાં આવે છે. બહેનના હર્ષનો પાર નથી. તેના પુત્રના જન્મ પછી પહેલી જ વખતે પ્રભુના દર્શન માટે આવી છે. બાળક પ્રભુનું દર્શન કરે છે. તેનું મન પ્રભુમાં છે કરૂણાસાગર પરમાત્માની કરૂણાદૃષ્ટિમાં બાળક મીટ માંડે છે. ત્યાં તેને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. પૂર્વજન્મ યાદ આવે છે અને મનોમન પ્રભુને પુછે છે. પ્રભુ આ હું શું જોવું છું? મને આ દેખાય છે તે શું છે? ત્યારે કરૂણાસાગર ભગવાન સિમંધર સ્વામી કહે છે :- તું પૂર્વજન્મમાં જે નિત્ય ધ્યાનમાં દર્શન કરતો હતો તે જ આ છે. સમવસરણ બાર પર્ષદા પ્રાતિહાર્યો અતિશયો વગેરે જે તું ધ્યાનમાં નિત્ય જોતો હતો તે જ તું હમણાં જોઇ રહ્યો . પૂર્વજન્મમાં કલ્પનાથી મનોમય ભૂમિકા ઉપર જે તારૂ ધ્યાન હતું તે આજે પ્રત્યક્ષ ઉપસ્થિતિ સત્યરૂપે તારી સામે પ્રગટ છે. બાળકના આનંદનો પાર નથી. પૂર્વ જન્મમાં ગુરૂએ જે ધ્યાન બતાવ્યું તે કલ્પના આજે પ્રત્યક્ષ બની છે. પૂર્વ જન્મની પ્રભુમિલનની અધુરી ઇચ્છા અહીં પુરી થઇ. પ્રભુ મિલનની તિવ્ર ઝંખના ઉદયમાં આવી. પૂર્વ જન્મના ધ્યાનમાં અનુભવેલી પ્રભુ પ્રણયથી સુમધુર મિઠાશ અનુભવમાં આવી. અમારો પ્રણય શરૂ થયો અને મારા પ્રેમરસભર પ્રિયતમે કહ્યું આપણે કદિ છૂટા ન પડવું પડે તે રીતે સાદિ અનંત ભાગે જ્યોતિ શું જ્યોતિરૂપે મળીશું અને મૃત્યુ મહોત્સવ બની ગયું. મૃત્યુ અજર અમરમાં પલટાવા માટે બન્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy