SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ કે બન્નેન ભો ભવ્યા ! અસ્મ આરાધકે નરેઃ તીર્થકુશામ કમપિ હેલયા સમુપાર્જતે | (સિદ્ધચક્ર પૂજન વિધિ ત્રીજી ચોવીસીનો ૨૪મો શ્લોક) તીર્થકર નામકર્મની અતિ પવિત્ર પુણ્ય પ્રકૃતિની પ્રાપ્તિ રૂપ મધુર ફળો આ સિદ્ધચક્ર રૂપ કલ્પવૃક્ષ ઉપર ખીલી ઊઠેલા તને અનુભવાશે. અને આ મધુર ફળોના રસસ્વાદ જે કરશે તે મોક્ષના અનુપમ સુખોને પ્રાપ્ત કરશે. પરમ પૂજ્ય અધ્યાત્મયોગી ૫. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજના ૨૩ વર્ષના સાંનિધ્ય દરમ્યાન પ્રાપ્ત થયેલ તત્વજ્ઞાન અને અનુભવોની કેટલીક પ્રસાદી આ પુસ્તકમાં રજૂ કરી છે. “અનુભવ” ને શબ્દોમાં ઉતારવાનું કામ કઠિન છે, છતાં તે માટે યત્કિંચિત્ પ્રયત્ન કર્યો છે. તેમની પાસેથી મળેલ કેટલાક અદ્ભુત અનુભવો માત્ર વિશિષ્ટ સાધકને જ બતાવી શકાય તેવા હોવાથી, આ ગ્રંથમાં રજૂ કર્યા નથી. પૂજ્ય ગુરૂમહારાજ અનુભવજ્ઞાની માપુરૂષ હતા. તેમની કૃપાથી મળેલ તત્ત્વનો સર્વ યોગ્ય આત્માઓને લાભ મળે તે હેતુથી આ તત્ત્વજ્ઞાન અને અનુભવો અહીં રજૂ કર્યા છે. ખંતપૂર્વક, નિષ્ઠાવાન બનીને પૂર્ણ શ્રદ્ધા પૂર્વક જે કોઈ સાધક આત્મા આ માર્ગે પ્રયાણ કરશે, તેને દિવ્ય અનુભવો થશે. તેનું જીવન વામનમાંથી વિરાટમાં ઊર્ધીકરણ પામશે. માટે મારા વહાલા સાધકો ! હવે પ્રયાણ શરૂ કરો પુનિત પંથે ! (૧) પ્રણિધાન કરો કે પરમાત્માના ધ્યાન દ્વારા આત્મ સાક્ષાત્કાર આ જીવનમાં જ કરવો છે. આ જીવનમાં આત્મ અનુભવ રૂપ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું છે. પછી શરૂ કરો (૨) પ્રવૃત્તિ. નિયમિત સાધના કરો. ધર્મ મહાસત્તા તમને જરૂર સહાય કરશે. નિષ્ઠાપૂર્વકના શુભ સંકલ્પો કાળક્રમે અવશ્ય ફળદાયી બને છે. માટે પ્રમાદ છોડી સાધવા માટેની પ્રવૃત્તિ શરૂ કરો. (૩) વિદન જય :- વિપ્ન આવે ત્યારે ડરશે નહીં. પરમાત્મા તમારી સહાયમાં છે. વિપ્ન આવતાં સાધના છોડી દેવી તે કાયરનું કામ છે. દિવ્ય તત્ત્વો તમારી સહાયમાં છે. વિપ્ન જય અવશ્ય થશે. નિષ્ઠાપૂર્વક આગળ વધો. વિઘ્નોને હઠયા સિવાય છૂટકો જ નથી. હિંમતથી આગળ વધો. પ્રભુ ઉપર શ્રદ્ધા રાખો. કાર્ય સિદ્ધિ અવશ્ય થનાર છે. (૪) સિદ્ધિઃ- દેવ-ગુરૂ કૃપાથી તમને અવશ્ય સિદ્ધિ મળશે. ખંતપૂર્વકનો પ્રયત્ન સિદ્ધિ સુધી અવશ્ય પહોંચાડે છે. સિદ્ધિ મળતાં તૃપ્તિનો આનંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy