SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ અનુભવાશે. જીવન દિવ્ય બની જશે. (૫) વિનિયોગ :- તમને સિદ્ધિ મળે ત્યારે યોગ્ય પાત્રને તેની પ્રસાદી જરૂર આપો. જેમ તમારી ઉપર કોઈની કૃપા થવાથી તમને તત્ત્વ મળ્યું તેમ તમે પણ યોગ્ય પાત્રને આપજો. સાનિધ્યની દિવ્યપળો હે પ્રભુ ! મારા પ્રિયતમ વાતમાં ને વાતમાં તારી અને મારી પ્રેમ કહાની બની ગઇ. હજારો લાખોની વચ્ચે છાની છાની વાત થઇ ગયી. તે તો પ્રગાઢ મીલનમાં દઇ દીધું સર્વસ્વનું દાન અને હું બની ગયી અજર અમર. યુગયુગથી બીડાઇ ગયેલા હ્રદયના કમાડ ખુલી ગયા અને પ્રિયતમે તેનો કબજો લઇ લીધો. “સબસે ઉંચી પ્રેમ સગાઇ” પ્રેમની વાત પ્રેમી જાણે અને બીજા ભગવાન જાણે. માટે મારા વ્હાલા વાચક મિત્રો ! પ્રેમનો અર્થ સમજવા પ્રેમની સર્વોચ્ચ કક્ષાએ રહેલા અરિહંતનું દર્શન કરો. પ્રેમનો અનુભવ કરવા અરિહંતનું ધ્યાન કરો. શબ્દકોશમાં તમને પ્રેમનો અર્થ નહિ જડે- ભકત અને ભગવાનના મિલનમાં અવશ્ય પ્રેમનો અર્થ મળશે. ઢાઇ અક્ષર પ્રેમકા, પઢે સો પંડિત હોઇ. સૃષ્ટિનો નિયમ છે કે જે તરસ્યું હોય તે તૃપ્ત થવા ઝંખે છે. જે ભૂખ્યું હોય તે અન્ન ખાધા પછીનો ઓડકાર પામવા ઝંખે છે. જે વિરહની વેદનામાં તરફડે તે મિલનનું માધુર્યં પામવા ઝંખે છે. મીરાં અને માધવને જોડતો. કબીર અને સાહેબને જોડતો, નરસિંહ અને શ્રીહરિને જોડતો, તુલસીદાસ અને રધુવીરને જોડતો, સુરદાસ અને શ્યામને જોડતો, સુલસા અને મહાવીરને જોડતો સેતુ છે પ્રેમ. પ્રેમ એ જીવનની જરૂરિયાત નથી. પ્રેમ એ જ જીવન છે. પાણી એ માછલાની જરૂરિયાત નથી, માછલીનું વન છે. પરમાત્મા આપણા વનની જરૂરિયાત નથી, તે જ આપણું વન છે. Jain Education International For Private & Personal Use Only . www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy