SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ છે.” દહીંની મટકી માથેથી નીચે ઉતારે છે. દહીંની મટકીમાં શ્રીકૃષ્ણ દર્શન આપે છે. જ્યાંથી અમૃત ટપકે છે તે સહસ્ત્રદલ પદ્મ બ્રહ્મરંધ્ર છે. તે મહીં (દહીં)ની મટકી છે. અને પરમ પુરુષ પરમાત્મા સહસ્ત્રદલ પદ્મમાં બિરાજમાન છે. સત્ પુરુષ (ભક્તજન) ની ચિત્તવૃત્તિ એટલે ભક્તિ યાને ગોપીને સહસ્ત્રદલ પદ્મમાં પરમ પ્રિયતમ પરમાત્માનું દર્શન થાય છે. તેથી તે મુમુક્ષુઓ પણ ઉલ્લાસમાં આવી કહે છે – “કોઈ માધવ લ્યો,” “કોઈ માધવ લ્યો” અર્થાત્ તે ભક્તિની વૃત્તિ યાને ગોપી કહે છે કે અમને પરમાત્માની પ્રાપ્તિ થઈ છેદ. પરમાત્મા એક જ પ્રાપ્ત કરવા લાયક છે, બીજું કાંઈ પણ પ્રાપ્ત કરવા યોગ્ય નથી. માટે તમે પણ “માધવ લ્યો, કોઈ માધવ લ્યો” પરાભકિત દ્વારા પરમાત્માને પ્રાપ્ત કરો અને તમે પ્રેમથી ઈચ્છો તો અમે પણ તમને પરમ પ્રેમના દિવ્ય ભંડાર પરમાત્માના દર્શનનો માર્ગ દર્શાવીએ. “આત્મ સમર્પણ ભકિત” સર્વ શ્રેષ્ઠ છે, તેમ કર્મ અને તેના ફળનું પરમાત્માને સમર્પણ કરીને ક્ષણ માટે પણ પરમાત્માનું વિસ્મરણ ન થવા દેવું. વિસ્મરણની ક્ષણ આવે ત્યારે અસહ્ય વેદના અનુભવવી. એક ઘડી પ્રભુ તમ વિના, જાય વરસ સમાન, જાય વરસ સમાન. પ્રેમ વિરહ હવે કેમ ખરું, જાણો વચન પ્રમાણ, જાણો વચન પ્રમાણ. ઘડીયે ન વિસરો હો સાહીબા, न स्वर्गाप्सरसां स्पृहा समुदयो नो नारकोच्छेदने नो संसारपरिक्षितौ न च पुनर्निर्वाणनित्यस्थितौ । त्वत्पादद्वितयं नमामि भगवन् किन्त्वेककं प्रार्थये, त्वद्भक्तिर्मम मानसे भवभवे भूयाद् विभो ! निश्चला ॥१॥ હે કરૂણાનિધાન પરમાત્મા ! તમારી ભકિતના પ્રભાવે મને સ્વર્ગની અપ્સરાઓના સુખ મળો તેવી મારી કોઈ ઈચ્છા નથી, નારકી ગતિનું છેદન થાઓ તેવી ઈચ્છા નથી, ભવ દુઃખનો ક્ષય થાઓ તેવી પણ ઈચ્છા નથી, સિધ્ધિ ગતિમાં સદા માટે મારો વાસ થાઓ તેવી પણ મારી ઇચ્છા નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy