SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૯ શકાતી નથી, બુદ્ધિ જ્યાં પહોંચી શકતી નથી. ભગવાન શું કરી શકે તેનું માપ મન, બુદ્ધિ, તર્ક કે શબ્દથી ન નીકળે. પરમાત્માની અનંત શકિત ઉપર શ્રદ્ધા રાખે તેને અનુભવથી સમજાય છે. એક શિકારીને, બીજા ભવે નરકમાં જનારને ભગવાન મળ્યા પછી જે નવકારશીનું પચ્ચકખાણ કરવાને સમર્થ નથી, એવા અમારા શ્રેણિક મહારાજાને અમારા ભગવાન આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર બનાવી શકે છે. પ્રભુ ઉપરની શ્રદ્ધા, સમર્પણ, વફાદારી, પ્રેમ, સતત સ્મરણ સુલસાને તીર્થંકર બનાવી શકે છે. ભકત જન પ્રભુને જે ભાવે ભજે છે, તે ભાવે ભગવાન ફળે છે. પ્રભુ ઉપરની શ્રદ્ધા આશ્ચર્યકારી સર્જન કરી શકે છે. શરૂઆત મન અને બુદ્ધિથી થાય તે વાસ્તવિક છે. પણ જ્યાં મન અને બુદ્ધિની પરિસીમા આવે છે, ત્યાં પરમાત્માનું સામ્રાજ્ય શરૂ થાય છે. જેને કોઈ સીમા નથી, જેને કોઈ ક્ષિતિજ નથી. એ તો છે અનંત આકાશથી અધિક લાંબુ, પહોળું, ઊંચું. ત્યાં બુદ્ધિ કામ ન લાગે ત્યાં કામ લાગે છે શ્રદ્ધા, સમર્પણ, પરમાત્મ પ્રેમ, વિશ્વાસ, અહં-મમત્વનું વિસર્જન. ત્યાં કામ લાગે છે અનુભવ. “અનુભવો અને માણો” એવું પ્રભુનું સામ્રાજ્ય. પ્રિય વાચક ! તને ઉતાવળમાં કહેવાઈ ગયું હોય તો ક્ષમા કરજે. તું એક વખત પ્રભુમાં શ્રદ્ધા રાખી સાધક બન. પછી જો કે પ્રભુ તારા માટે શું કરી શકે છે ! અનુભવ કરજે. વળી ફરી મળીશું. બસ, હવે એમ લાગે છે કે આ વાત હવે આપણે પૂરી કરીએ..... પણ આ વાત આપણે મોક્ષમાં ન પહોંચીએ ત્યાં સુધી કદી પૂરી થવાની નથી. જૈન શાસનની કોઈ વાર્તા “કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા' ત્યાં જ પૂરી થાય છે. આપણા દેકેની વાર્તા અનંત કાળથી લખાય છે. તે કયારે પૂરી થશે ! મોક્ષમાં પહોંચીએ ત્યારે.... પ્રિય વાચક મિત્ર ! મેં તમારી સામે પ્રેમભરી મધુર વાતો કરી છે. આપણે બધા તીર્થંકર પ્રભુના ભાવ કુટુમ્બના સભ્યો છીએ, આપણે સર્વ તીર્થંકરોના ચરણ૨જ સમાન સેવકો છીએ. તે સંબંધથી આ બધી વાર્તા તમારી સાથે કરી છે. આમાં તમને જેટલું સારૂં લાગે તે ગુરુભગવંતનું છે. અને ભૂલચૂક વાળું હશે તે મારા છદ્મસ્થપણાના કારણે છે. મારી ભૂલચૂકની હું અંતઃકરણથી ક્ષમા માંગુ છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy