SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ કર્મના કાટ નીચે દબાયેલાં આત્માના પ્રદેશોમાં મધુર સંચાર થાય છે. અને અંદરથી આત્માનો આનંદરસ ઊભરાય છે. તેનો અનુભવ આસ્વાદ આવે છે, સુધારસ-અમૃત સમા આત્માનંદનો અનુભવ થાય છે. જગતના જીવ માત્રના કલ્યાણની ભાવના પ્રવૃષ્ટ પુણ્ય ઉપાર્જન કરાવી તીર્થકર નામ કર્મ, ગણધર નામ કર્મ, તથા શાસન પ્રભાવકતા દ્વારા જગતના જીવોને તીર્થકરની નજીક લાવવાના કાર્યમાં આપણને કૃતજ્ઞભાવે સેવા કરવાનો લાભ અપાવે છે. પ્રિય વાચક મિત્રો ! મારે તો તમને એટલું કહેવું છે કે તમે દરરોજ દસ-વીસ મિનિટ માટે પણ સર્વ જીવોના કલ્યાણની ભાવના કરજો. અધ્યાત્મ કલ્પદ્રુમમાં શ્રી સિધ્ધર્ષિ ગણિ કહે છે. विश्वजंतुषु यदि क्षणमेकं, साम्यतो मजसि मानस! मैत्रीम् ।। તસુ પરમમત્ર ૨2- મૂત્તવ નાતુ | અધ્યાત્મ કલ્પદ્રુમ). હે મન ! તું સર્વ પ્રાણી ઉપર સમતાપૂર્વક એક ક્ષણવાર પણ પરહિતચિંતા રૂપ મૈત્રીભાવ ભાવીશ તો તને આ ભવ અને પરભવમાં એવું સુખ મળશે કે જે તેં કદી અનુભવેલ ન હોય. જગતમાં સુખ કયાં છે ? સૌ શોધે છે. જૈન શાસ્ત્રકારો કહે છે - એક ક્ષણ માટે તું જગતના જીવનું હિતચિંતન કર. કદી નહિ અનુભવેલું સુખ તને અનુભવાશે. અરિહંતોનું વિરાટ સામ્રાજ્ય કેટલું મહાન છે ? સમગ્ર વિશ્વના જીવોનો પ્રવાહ નિગોદમાંથી નીકળીને મોક્ષ તરફ વહી રહ્યો છે - તેના જ મૂળમાં તીર્થકરોની વિશ્વકલ્યાણની ભાવના છે. દરેક સાત દિવસે ઓછામાં ઓછો એક જીવ સમ્ય દર્શન પામે છે. જધન્યથી દસ દિવસે એક જીવ દેશ વિરતિ પામે છે, પંદર દિવસે ઓછામાં ઓછો એક જીવ સર્વ વિરતિ પામે છે. ઓછામાં ઓછા છ મહિને એક જીવ મોક્ષે જાય છે. ઉત્કૃષ્ટથી તો પ્રત્યેક સમયે ૧૦૮ મોક્ષે જાય છે. (એક આંખના પલકારાના અસંખ્ય સમય . થાય.) આવી રીતે જગતના જીવોનું નિગોદમાંથી નીકળીને મોક્ષ તરફ જવાનું કાર્ય અનંતકાળથી ચાલે છે. તેના મૂળમાં તીર્થકરોની ભાવના છે. પ્રિય વાચક મિત્રો ! પરમાત્માની અચિન્ત, અનંત શકિતને સમજવા માટે મન પહોંચી શકતું નથી, તર્ક ત્યાંથી પાછા ફરે છે, શબ્દમાં જે વર્ણવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy