SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭ વ્યાપી ગયાં. દિવસ ઊગે અને આવા ભાવોમાં અમૃતનું પાન થયાં કરે. રાત્રે સોણલા આવે, દિવસે વારંવાર યાદ આવે. રોમ રોમ વિકસ્વર બને. વિના પ્રયત્ને મારા પ્રિયતમ હ્રદયનો કબજો લઈ લે. અને હૃદય ધબકારામાં વિશ્વકલ્યાણનો ભાવ પૂર્વે અને આવી મધુર પળોમાં જીવ માત્ર પ્રત્યેનો પ્રેમ મારામાં એવો તો ઉલ્લસિત થયો કે સકલ જીવસૃષ્ટિને પ્રેમથી નવડાવી દેવાનું અને અરિહંતના ભાવોનું અમૃત પીવડાવી દેવાના થનગનાટને હું રોકી ન શકી. “સૌને જિનશાસન પમાડવાની, બોધિબીજ પમાડવાની, મોક્ષ પમાડવાની મારી ઉન્નત તમન્ના બે કાંઠે વહેતી નદીની જેમ ઉન્મત્ત બની વહેવા લાગી. આવી મધુર રસભરી અવસ્થામાં સરિતા અને મહાસાગરના અભેદ મિલનની જેમ મારા પ્રિયતમમાં ખોવાઈ જઈને મેં શાશ્વત સુખનો સ્વાદ માણ્યો. મારા પ્રિયતમે મને ન્યાલ કરી દીધી. મને તેમના સામ્રાજયની સામ્રાજ્ઞી બનાવી. મારા આનંદનો પાર નથી, મારા સુખની અવિધ નથી. મારા અહોભાગ્ય જાગ્યાં. મને કલ્પવૃક્ષ, કામધેનુ અને ચિંતામણિરૂપ પ્રિયતમ મળ્યા છે. આવા ભાવોમાં મારી અંદર અને બહાર અપાર આનંદના મોજાં ઉછળતાં મેં જોયાં. મારા ગુરુએ કહ્યું કે આ અરિહંતોનો વિશ્વકલ્યાણનો ભાવ જયારે આપણામાં વ્યાપક બને ત્યારે આપણો આત્મા પ્રકૃષ્ટ પુણ્યથી પુષ્ટ થાય છે. અથવા સર્વોત્તમ પુણ્યપ્રકૃતિ બંધાય છે. (૧) તીર્થંકર નામ કર્મ (તીર્થંકર નામકર્મની નિકાચના માત્ર તીર્થંકર બનનારને જ થાય છે. તીર્થંકર નામકર્મનો બંધ બીજાને પણ થઈ શકે છે. (૨) આદેય નામકર્મ (૩) સુસ્વર નામ કર્મ (૪) સુરૂપ નામકર્મ યાને શુભનામ કર્મ (૫) યશ નામકર્મ (૬) સૌભાગ્ય નામકર્મ આ છ પુણ્યપ્રકૃતિઓ જગતના જીવોને જિનશાસનમાં જોડવા માટે અદ્ભુત રસાયણ છે, જે ઉદયમાં આવે ત્યારે લાખો, ક્રોડો, અબજો વોને પ્રતિબોધ કરવાની શકિત ઉત્પન્ન કરે છે. પરમાત્માનું અભેદ મિલન અને તેમાંથી સર્જન થતો આત્મ અનુભવનો પરમરસ ઘાતિ કર્મના દળિયાંને આત્માથી વિખૂટા પાડી આત્મ સમૃદ્ધિના ખજાનાને પ્રગટ કરાવે છે. કર્મનાં પોપડાં ઉખડવા માંડે છે, કર્મના પડદા પીગળવા માંડે છે, સમ્યગ્ દર્શનના અજવાળા આત્માના પ્રદેશમાં પથરાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy