SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૩ ૧૦ હજાર પગથીયા. ઊંચું વજ્રમય તળીયું. તેના ઉપર ચાંદીનો ગઢ અને સોનાના કાંગરા. તેના ઉપર ૫ હજાર પગથીયા . ઊંચે બીજો સોનાનો ગઢ અને રત્નના કાંગરા. તેના ઉપ૨ ૫ હજાર પગથીયા, ઊંચે ત્રીજો રત્નનો ગઢ અને મણીના કાંગરા. હૃદયના સ્થાને સિંહાસન મણિ રત્નથી વિભૂષિત. ત્રીજા ગઢ ઉપર અશોકવૃક્ષ માથાના વાળ સુધીનું કલ્પવું. હૃદયના સિંહાસનમાં ભગવાન (પ્રિયતમ) પધારે છે. આનંદનો મહોત્સવ છે. ભગવાનના મસ્તકની પાછળ ભામંડળ, મસ્તકની ઉપર ત્રણ છત્ર, દેવદુંદુભિ, પુષ્પવૃષ્ટિ, ચામર, દિવ્યધ્વનિ હૃદયમાં બિરાજમાન પરમાત્મામાંથી દિવ્યગુણો અને શક્તિઓનો વિસ્ફોટ થાય છે. (૧) પ્રેમ-કરૂણા, (૨) આનંદ, (૩) સુખ, (૪) શક્તિ (વીર્યગુણ) (૫) ગુણસમૃદ્ધિ વિસ્ફોટ થઈને સાધકમાં ફેલાય છે. સાધકના અણુએ અણુમાં તે દિવ્યશકિતઓ કાર્યશીલ થાય છે. આપણે સ્વયં પ્રેમ-કરૂણા, આનંદ, સુખ, શક્તિ, ગુણ સમૃદ્ધિરૂપ બનીએ છીએ. હૃદયમાં બિરાજમાન પરમાત્મા ધીમે ધીમે મોટું રૂપ ધારણ કરે છે. આપણા દેહ પ્રમાણ બની જાય છે. પરમાત્માના અસંખ્ય પ્રદેશો આપણા અસંખ્ય પ્રદેશો સાથે એકરૂપ થાય છે. અનંત સુખ અને ગુણથી પરિપૂર્ણ પરમાત્માનો પ્રત્યેક પ્રદેશ આપણા એક એક પ્રદેશ સાથે મળતાં આપણે દિવ્ય સ્વરૂપ બની જઈએ છીએ. પરમાત્મા પૂર્ણતાનો અનુભવ કરાવે છે. (પ્રિયતમ સાથે ગાઢ આલિંગન અવસ્થા - ઉપયોગાકાર આત્મા. પ્રિયતમ અમૃતરસ પીવડાવે એટલે આત્માના અનુભવનો ૫૨મરસ અનુભવાય.) ભગવાન (પ્રિયતમ) સાથે સંપૂર્ણ અભેદ અવસ્થા છે. કેવલી સમુદ્દાતની રીતે ભગવાન વિશ્વરૂપ ધારણ કરે છે. હું તો તેમના (ભગવાનના) અભેદમાં જ છું. ચૌદ રાજલોકના એક એક પ્રદેશે એક એક આત્મપ્રદેશ ગોઠવાઈ ગયો. (ચૌદ રાજલોકના જેટલા આકાશ પ્રદેશો છે તેટલા જ દરેક જીવના આત્મ પ્રદેશો છે.) પ્રિયતમ ભગવાને સમગ્ર વિશ્વને આકાશની જેમ પોતાનામાં સમાવી દીધું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy