SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ ચૌદ રાજલોકમાં પ્રેમ અને કરૂણાનો વરસાદ વરસાવ્યો. જીવમાત્ર દલતયા પરમાત્મા છે. (દલતયા પરમાત્મા એવ જીવાત્મા) તેવા જીવમાત્ર સાથે પ્રેમ કરી લીધો. સિદ્ધ ભગવંતના સાધર્મિક, અનંતગુણના વૃંદ, અનંત સુખના નિધાન, વિશ્વના સર્વજીવોને અમે પ્રેમથી ભેટયા, દેશ અને કાળનું બંધન તૂટી ગયું. ચૌદ રાજલોકના પ્રત્યેક આકાશ પ્રદેશમાં રહેલા અનંતવોમાં ભાવપ્રાણનું સંચાર કરવાનું કાર્ય શરૂ કર્યું. જો મને શકિત મળે તો જગતના સઘળા વોને જિનશાસન પમાડું, સૌને બોધિબીજ પમાડું, મોક્ષ પમાડું, આ ભાવનાનું ઝરણું પ્રભુએ મારામાં વહેતું મુક્યું. વિશ્વનું દર્શન કરાવ્યું. ભાવપ્રાણના સંચાર સોયની અણી ઉપર રહે તેટલા ભાગમાં અસંખ્ય નિગોદ છે. પ્રત્યેક ' નિગોદમાં અનંત વ છે. તે પ્રત્યેક જીવમાં, અસંખ્ય આત્મપ્રદેશ છે તેમાં જે શુદ્ધ અને નિર્મળ છે તે આઠ રૂચક પ્રદેશો ઉપર જિનેશ્વરનો સંદેશો પ્રસારિત કરવા રૂપ ભાવપ્રાણનો સંચાર જગતના અનંતાનંતવોમાં શરૂ કર્યો - “તું જિનશાસન રસિક બનીને, બોધિબીજ પામીને મોક્ષ પ્રાપ્ત કર.” આ ભાવ અનંતાનંત સર્વજ્વોમાં પ્રત્યેક જીવના આઠ રૂચક પ્રદેશ ઉપર પ્રસારિત કરી જિનશાસનની યાને મારા પ્રિયતમની સેવા કરવાનું અદ્ભૂત સૌભાગ્ય મને પ્રાપ્ત થયું. આત્મા સંકોચ વિસ્તાર સ્વભાવવાળો છે. કીડીમાં સંકોચ વધારે હોય, હાથીમાં વિસ્તાર હોય. આવી સાધનાના સમયે આત્મા વિશ્વમય સ્વરૂપમાં શ્રેષ્ઠતમ વિસ્તારવાળો હોય છે. ૧૪ રાજલોકના જેટલા આકાશ પ્રદેશ તેટલા જ પ્રત્યેક જીવના આત્મ પ્રદેશ છે. એક એક આકાશ પ્રદેશ ઉપર એક એક આત્મપ્રદેશ આ સૌથી વધુ વિસ્તારવાળી અવસ્થા હોય છે. આ સમયે મારા આત્માને પારદર્શક સ્થિતિમાં અનંતાનંત જીવોના સાથેના પ્રેમ સંબંધમાં રહેલો જોઈને મારા આનંદની અવિધ ન રહી. સહજભાવે સિદ્ધશિલાથી સાતમી નારકી સુધીનું અવલોકન થયું તેમાં તિÁલોકમાં તિર્થંકરો ઉપદેશ આપી રહ્યા છે તે સમવસરણમાં આવા ભાવસહિત જતાં ભગવાને સર્વજ્વોના કલ્યાણ માટેની શકિતનું મારામાં અવતરણ કર્યું અને વિશ્વપ્રેમના હિંડોળે હિંચતી હું દિવ્ય આનંદની અનુભૂતિમાં વિલીન થઈ ગઈ. જો મને શક્તિ મળે તો જગતના સઘળા જીવોને જિનશાસન પમાડું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy