SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૯ દેવો જગત ઉદ્ધારની ભાવના સતત કરી રહ્યા છે, તેના મનોવર્ગણાના પુદ્ગલો વિશ્વવ્યાપી બનીને સદા જગતને પવિત્ર કરી રહ્યાં છે. સિદ્ધશિલા ઉપર અનંત સિદ્ધ ભગવંતો જગતને પરમ સુખ અને આનંદ પ્રાપ્ત કરવા સતત પ્રેરણા આપે છે. આવું અને જેનું વર્ણન કરી ન શકાય તેવું અખિલ બ્રહ્માંડના સાર્વભૌમ ચકાધીશ્વર અરિહંતોનું મહાસામ્રાજ્ય જગતમાં પ્રવર્તી રહ્યું છે. અરિહંતોનું સર્વશ્રેષ્ઠ અનુદાન - તે પોતાના જ ભકતને પોતાના સમ બનાવે છે. એટલે તે “નિજ સ્વરૂપના દાતા” છે. આવી આવી અનેક રસભર વાતો ગુરુ ભગવંત સમજાવતા અને સાધકોના હૃદય પ્રભુપ્રેમથી છલોછલ ભરાઈ જતા. અરિહંત પદના ભાવામૃત ઘૂંટી ઘૂંટીને સાધકને પાન કરાવતા જ રહ્યા.....વર્ષો સુધી “અરિહંત' “અરિહંત' ચાલતું જ રહ્યું છે. અરિહંતની વાતો કરે ત્યારે ગુરુમહારાજમાં અરિહંતના ભાવોનું દર્શન થતું હતું. તેમના આત્માના પ્રદેશ પ્રદેશે અરિહંત ગીત ગુંજતું હતું. તેમના લોહીના અણુએ અણુ અરિહંતની વિશ્વ ઉદ્ધારની ભાવનાથી વિભૂષિત રહેતા તેમના હૃદયના ધબકારે ધબકારે અરિહંતનું સ્મરણ રહેતું અને શ્વાસોશ્વાસ અરિહંત ભાવવાસિત રહેતો. તેમની આંખોમાં પરમાત્માની ઝલક દેખાતી, તેમને જોઈને અરિહંતના એંધાણ વરતાય. જાણે પરમાત્મા પાસે પહોંચવાનું દ્વાર હોય એવા ગુરુ ભગવંત શોભતા હતા ! તે દ્વારેથી પ્રવેશ થતાં સુખ સંપદાન આપનારૂં પ્રભુનું દર્શન થતું. પૂજ્ય ગુરુ ભગવંત હંમેશાં પરમાત્મા અને શિષ્યની કડી જોડી આપવાનું કાર્ય કરતા જ રહ્યા........... મૈત્રીભાવભર્યું તેમનું હૃદય કોઈ વખતે અમૃતથી છલકાઈ જાય ત્યારે જીવસૃષ્ટિમાં વિચરવા લાગેલી તેમની ચેતના સમષ્ટિના અનંત વિલાસમાં ડૂબી જતી. ગુરુ ભગવંત જયારે મન મૂકીને વરસે ત્યારે જાણે વાત્સલ્યનું વહેતું ઝરણું, પરોપકારની પરબ અને મૈત્રીભાવના મહાસાગર..! પૂ. ગુરુમહારાજ અરિહંતના ભાવો પીરસે ત્યારે સાધકની ચેતનામાં વીજળીનો સંચાર થાય. સાધક કોઈ અલૌકિક દશામાં પ્રવેશ કરી અરિહંતમાં ખોવાઈ જાય. બસ, આવું બધું દરરોજ ચાલતું જ રહ્યું..સાધકના જીવનની પ્રેમ સરિતા સુવર્ણમય મધુર પળોમાં આ રીતે પરમાત્માના મહાસાગર તરફ વહેતી જ રહી......વહેતી જ રહી.... વહેતી જ રહી...... પ્રિય વાચક મિત્રો ! પૂજ્ય ગુરુ ભગવંતનો પર્યાય ૨૦૩૬ના વૈશાખ સુદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy