SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૯ અપૂકાય અને વનસ્પતિકાયની ચેતનાને થાય છે. વૃક્ષના મૂળમાં રહેલા પાતાળના પાણીના જીવો, વૃક્ષના મૂળમાં વીંટળાઈને રહેલા માટીના જીવોની અને વૃક્ષના જીવોની - વિશ્વપ્રેમના ફિરસ્તા અરિહંત પ્રભુના દર્શન કરવાની, પ્રભુના વધામણાં કરવાની અવ્યકત ઈચ્છા સક્રિય બને છે. વૃક્ષોએ પાતાળના પાણીના ક્વોને પોતાનામાં ઉપર ખેંચ્યા, માટીના જીવોને પોતાનામાં મેળવી લીધા અને એકએક છએ ઋતુના ફળ-ફૂલથી વનરાજી લચી પડી, કુદરત ખીલી ઊઠી, પ્રભુ વિહાર કરી સમગ્ર જગતના કલ્યાણ માટે સમવસરણ ભૂમિ તરફ જઈ રહ્યા છે. તેમને નમસ્કાર કરવા માટે વૃક્ષો પોતાના ફળ અને ફૂલ સાથે નમે છે. વૃક્ષ પરના ફૂલ, પ્રેમ વ્યકત કરવા માટે ઝૂકી રહ્યાં છે. પંખીઓ પ્રદક્ષિણા કરે છે. ફૂલોની મહેકવાળા પાણીનો ઝીણો વરસાદ શરૂ થાય છે. પવન પણ અનુકૂળ બને છે. કુદરત પણ પ્રભુના પ્રેમને વધાવે છે. પ્રભુ પ્રત્યે સૌ પ્રેમ કરે છે. અવ્યકત ચેતનાવાળા એકેન્દ્રિય જીવો પ્રભુને પ્રેમ કરે છે. જિન શાસનના રહસ્યો જાણ્યા પછી વિશ્વપ્રેમના ફિરસ્તા પ્રભુ પ્રત્યે આપણા હૃદયમાં પ્રેમ ઉભરાય એ તો સહજ સ્વાભાવિક છે. પ્રભુને પ્રેમ ન કરીએ તે જ આપણી બુદ્ધિનો વિપર્યાય છે. અરે પ્રેમના પ્રતીક રૂપે પાંચે વર્ણના ફૂલોની આકાશમાંથી વૃષ્ટિ થાય છે. પ્રભુના મંગળ વધામણાં થાય છે. અને સચિત્ત પુષ્પો, પ્રભુના દર્શને આવેલા ભાવિકોની ચરણરજનો સ્પર્શ મળતાં એટલી ધન્યતા અનુભવે છે કે કોઈના પગ તળે આવીને પોતાને થતી કિલામણાને અનુભવતાં જ નથી પણ પ્રભુની કરુણાને વધાવે છે. પુષ્પ અને પ્રેમ, પુષ્ય અને પરિમલ, પુષ્પ અને પરમાત્મા, પરમાત્મા અને પરિમલનો ભકતજન અને પરમાત્માનો ઈતિહાસ લખવા બેસીએ તો ગ્રંથો ભરાઈ જાય. આ અવસર્પિણીના પ્રથમ તીર્થકર ઋષભદેવ પરમાત્માનો દેવેન્દ્રોના વંદોનસ-મેં જન્માભિષેક કર્યા પછી, દેવલોકના વૈભવને તુચ્છ માનનારા અને અભિષેકના હર્ષોલ્લાસમાં આનંદિત બનેલ ઈન્દ્રમહારાજા “પુષ્પાંજલિ યાને “કુસુમાંજલિ' એટલે કે અંજલિમાં પુષ્પ લઈને પ્રભુ ચરણમાં સમર્પણ કરે છે અને પ્રભુ ચરણમાં આળોટવાનું સૌભાગ્ય મળ્યું તે પુષ્પોને. પ્રભુ વરદાન આપે છે – “તું ભવ્ય છે. તેને પૂર્ણતાનો પરમાનંદ અવશ્ય મળનાર છે.” “સુમ જંતુ ભવ્ય પરે કરીએ સમકિત છાપ.” પુષ્પાંજલિ, કુસુમાંજલિએ પુષ્પનો ઈતિહાસ સજર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy