SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ ત્રિપાઠી કુમુદ અને સરસ્વતીચંદ્રના પ્રેમનું પાત્રાલેખન કરે છે. કુમુદ પોતાના પ્રિયતમ સરસ્વતીચંદ્રને પત્રમાં ફૂલ મોકલે છે – પ્રેમિકા પોતાના પ્રેમના સમર્પણ માટે ફૂલને માધ્યમ બનાવે છે. આજે પણ લગ્નમંડપના દરવાજે કન્યા પોતાના પતિના કંઠમાં પુષ્પહાર પહેરાવે છે અને પતિ પણ પત્નીના સ્વીકાર રૂપે પત્નીને હાર પહેરાવે છે. આપણા સ્નેહના પ્રતીક રૂપે આપણા મિત્રોને સારા પ્રસંગે આપણે પુષ્પગુચ્છ ભેટ મોકલીએ છીએ આ તો બધી વહેવારૂ વાત કરી. ખરેખર તો “ફૂલ પોતે જ પ્રેમ કરે છે.” કમલિની દિનકર કર ગ્રહે, વળી કુમુદિની હો ધરે ચંદ શું પ્રીત; ગીરી ગિરીશ ગિરિધર વિના, નવિ ચાહે હો કમલા નિજ ચિત્ત કે ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ આ પંકિતઓમાં પરમાત્મા સાથેના પ્રેમનું વર્ણન કરે છે તિમ પ્રભુ શું મુજ મન રમ્યું, બીજા શું હો નવિ આવે દાય કે અજિત જિણંદ શું પ્રીતડી, મુજ ન ગમે હો બીજાનો સંગ કે... સૂર્યના પ્રેમમાં પડેલું કમળ જયારે સૂર્યનું દર્શન થાય ત્યારે ખીલી ઊઠે છે. કુમુદિનીના ફૂલને ચંદ્ર સાથે એટલો પ્રેમ હોય છે કે ચંદ્રનું દર્શન થતાં કમુદિની ખીલી ઊઠે છે. - તેમ પ્રભુ શું મુજ મન રમ્યું તેમ પ્રભુ સાથે સાચો પ્રેમ છે. દષ્ટાન્ત આપે છે - પાર્વતી અને શંકર, લક્ષ્મી અને વિષ્ણુ - આવો પ્રેમ મને અરિહંત પ્રભુ પ્રત્યે છે... પ્રાણી માત્ર પ્રત્યેના સર્વોત્કૃષ્ટ પ્રેમ, વાત્સલ્ય, કરૂણા, દયા, સ્નેહભાવનું જીવંત સ્વરૂપ એટલે જ “અરિહંત પ્રભુ'. અરિહંત'નો જીવમાત્ર પ્રત્યેનો પ્રેમ એટલો “જીવંત હોય છે કે તેમના કલ્યાણક સમયે જગતમાં સર્વત્ર અજવાળાં થાય છે, સર્વ જીવો ક્ષણભર સુખનો અનુભવ કરે છે. અખિલ બ્રહ્માંડમાં આનંદનું આંદોલન થાય છે. પ્રભુને કેવળજ્ઞાન થાય છે અને પ્રભુના આગમનને વધાવવાનો ભાવસંચાર પૃથ્વીકાય, - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy