SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ (બી) નાભિમાં ‘અર્હ મંત્રનું ધ્યાન કરવું. (સી) ‘અર્હ’ના રેફમાંથી અગ્નિજ્વાળા પ્રગટ થાય છે. (ડી) હૃદયમાં ઊંધું લટકતું કમળ છે. તેમાં આઠ કર્મ છે. ‘અહ’ના રેફમાંથી નીકળેલી અગ્નિજ્વાળામાં (જ્ઞાનાવરણીય આદિ) આઠે કર્મો બળે છે. અગ્નિ વધુ વિસ્તૃત થતાં ભાવ કર્મ (રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન) બળે છે. પ્રચંડ અગ્નિજ્વાળામાં આપણું શરીર બળે છે. ધ્યાનાવસ્થામાં દહન થતું અનુભવવું. (ઈ) પ્રચંડ પવનમાં રાખ ઊડી જાય છે. (એફ) ઘટાટોપ વાદળમાંથી અમૃતનો વરસાદ પડે છે. તેમાં સ્નાન કરી આપણે સ્વચ્છ-નિર્મળ બનીએ છીએ. (જી) માત્ર શુદ્ધ આત્મા રહે છે. અહીં આત્મભાવના-આત્મધ્યાન કરવું. અને આત્મસ્વરૂપનો અનુભવ કરી પરમાનંદમાં લીન બનવું. (૫) અહીં વિશેષ રીતે તત્ત્વભૂ ધારણા કરવી અને આત્મધ્યાન કરવું. હું આત્મા છું.. મારૂં લક્ષણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અને ઉપયોગ છે........... પુદ્ગલ દ્રવ્ય મારાથી ભિન્ન છે...... પુદ્ગલ દ્રવ્યનું લક્ષણ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ છે. પુદ્ગલ વિનાશી છે..... હું અવિનાશી આત્મા છું. પુદ્ગલ રૂપી છે. હું અરૂપી છું...... શરીર પુદ્ગલનો સ્કંધ છે, હું તેનાથી ભિન્ન છું..... કર્મથી સર્જન પામેલા પદાર્થો અને ભાવોથી હું ભિન્ન છું. જગતમાં દૃશ્યમાન પુદ્ગલ પદાર્થોથી હું ભિન્ન છું. મન, વાણી, કર્મ પુદ્ગલ સ્વરૂપ છે; તેનાથી પણ હું ભિન્ન પાંચ ધારણાના ધ્યાન દ્વારા દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મથી હું ભિન્ન બન્યો ................. પુદ્ગલથી ભિન્ન રૂપે ભાવિત બનેલો હું હવે આત્મભાવના અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy