SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ દરિશણ પ્રાણજીવન મોહે દીજે, બિન દરિસણ મોહે કલ ન પરત છે, તરફ તરફ તનુ છીજે (મહાયોગી આનંદઘનજી) તું અનુભવ રસ દેવા સમરથ, હું પણ તેનો અર્થી; પ્રભુની મહેરે તે રસ ચાખ્યો, અંતરંગ સુખ પામ્યો. માનવિજય વાચક પ્રભુ ધ્યાને, અનુભવ રસમાં હળીયો એકતાને. શ્રી દેવચંદ્રજી મહારાજે પણ અનુભવ્યું છે - “ભાવ અભેદ થવાની ઈહા” શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજ ભાવ પૂજાનું સ્વરૂપ બતાવતા કહે છે - “પરમાત્મા સાથે અભેદ મીલનની તીવ્ર ઈચ્છા તે ભાવપૂજાનું સ્વરૂપ.” “આજ ગઈતી હું સમવસરણમાં, જિન વચનામૃત પીવા રે.” “મનમોહન જિનવરજી મુજને, અનુભવ પ્યાલો દીધો રે; પૂર્ણાન અક્ષય અવિચલ રસ, ભકિત સુધારસ પીધો રે.” આવી જ્ઞાનપૂર્વકની અનુભવ ભકિત કરી પ્રેમરસમાં નિમગ્ન બનેલા મહાયોગીઓ કયારેક પોતાની જાતનું નારી જાતિની ભાષામાં સંબોધન કરે ત્યારે પરાભકિતની ઊંડાઈ સમજવા મળે છે. જ્ઞાન ભકિત અને અનુભવજ્ઞાનના પરમ રસિક શ્રી દેવચંદ્રજી મહારાજે આવી ભક્તિ દ્વારા અનુભવ પુત્રને પ્રાપ્ત કર્યો, સ્થિર ઉપયોગે તેનું પાલન કર્યું. આજે મહાવિદેહમાં અનુભવપુત્ર પૂર્ણ યૌવનને પ્રાપ્ત કરી, કેવળજ્ઞાન સ્વરૂપ બન્યા છે. ધન્ય છે આવી જ્ઞાનભકિત શીખવાડનાર મહાજ્ઞાની , ધ્યાન અને પ્રભુપ્રેમી મહાત્માઓને ! “નાગર સુખ પામર નવિ જાણે, વલ્લભ સુખ કુમારી, તેમ અનુભવ વિણ ધ્યાન તણું સુખ, કેમ કહીએ નરનારી, ભવિકા વીર વચન એમ જાણ.” (આઠ દૃષ્ટિની સજઝાય) ઉપરની પંકિતઓ બતાવે છે, ધ્યાનમાં પ્રભુનું અભેદ મીલન, તેમાંથી પ્રાપ્ત થતું સુખ અનુભવ વિના સમજાય તેમ નથી. આ ભાવો કેવી રીતે પ્રભુ પ્રેમ દ્વારા અનુભવવા; તેનું આ લેખમાં નિરૂપણ છે. વાચક મિત્રોને તેમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy