SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ગુરુ વચનામૃત ૧. માગવું એ ખરાબ છે. કોઈની પાસે માગવું પડે તે શરમજનક છે. ૨. ઈ માગે છતાં ન આપવું એ તેથી પણ ખરાબ છે. છતી સામગ્રીએ કોઈ માગે અને આપણે ન આપીએ તો માગનાર કરતાં પણ આપણે નીચે ઊતરી ગયા. ૩. આપવું એ ઉત્તમ છે. ૪. કોઈ આપે છતાં ન લેવું એ તેનાથી પણ ઉત્તમ છે. આપવા કરતાં પણ આપનાર આપે છતાં ન લેવું તે ઉત્તમ છે. ન લેવામાં ઘણું સત્ત્વ કેળવવું પડે છે. ---*--- ' . માટીને ઘડો બનવા માટે અને કાષ્ઠને મૂર્તિ બનવા માટે જે જે અવસ્થામાંથી પસાર થવું પડે છે તે સઘળી અવસ્થામાંથી પસાર થનાર માનવ મહાત્મા બની શકે છે, અને મહાત્મા પરમાત્મા બની શકે છે. દુઃખ અને કષ્ટ એ જીવને શીવ બનવા માટે અનિવાર્ય આશીર્વાદ રૂપ છે. " ---*--- શાન્તિ એટલે પરમાત્માના સતત સાન્નિધ્યની અનુભૂતિ. ત્યાગ એટલે અહં - મમત્વનું વિસર્જન. (પ્રભુભકિત) હે પ્રભુ ! તારો નિર્ણય, તારું વચન મને પ્રમાણ. મારું નહિ એવો ભાવ તે ભકિત છે. પ્રભુને માન્યા ત્યારે જ કહેવાય કે આજ્ઞા, વચન કે નિર્ણય તેમના માનવામાં આવે. “જો તું જીવનમાં પ્રભુને માનતો હોય તો તારા જીવનમાં નિર્ણય તેનો (પ્રભુનો) જ ચાલવો જોઈએ, તારો નહીં.” (૧) અમે પ્રભુના છીએ. (૨) હું પ્રભુનો છું. (૩) પ્રભુ મારા છે. (૪) હું અને પ્રભુ એક છીએ. ભકિતના આ ક્રમિક પગથિયાં છે. અંતિમ ભકિત અભેદ ભાવની છે. ---*--- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy