SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ તંદુલીયો મત્સ્ય નામનું એક નાનું માછલું રહે છે. મોટો માછલો સાગરનું પાણી મોઢામાં ભરે છે, અને દાંત બંધ કરી પાણી બહાર કાઢી નાખે છે અને માંછલાં ખાઈ જાય. પણ તેના દાંત એટલા બધા મોટા હોય છે કે દાંત વચ્ચેની જગ્યામાંથી નાનાં માછલાં પાણીની સાથે બહાર જતાં રહે છે. મોટાં માછલાં તો તે ખાઈ જાય છે. આ મોટા માછલાની આંખની પાંપણમાં રહેલો તંદુલિયો મત્સ્ય વિચાર કરે છે - “આ મોટો માછલો મૂર્ખ છે. નાનાં નાનાં માછલાં તો બધાં જીવતાં જતાં રહે છે. હું હોઉં તો એકને પણ જીવતું જવા ન દઉં. બધાંને ખાઈ જાઉં.” આ તંદુલિયા મત્સ્યનું આયુષ્ય ૪૮ મિનિટથી વધુ નથી હોતું. ૪૮ મિનિટ આવો હિંસાનો ભયંકર વિચાર કરે છે, અને બદલામાં તેત્રીસ સાગરોપમ સુધી સાતમી નારકની ભયંકર વેદના સહન કરવાની આવે છે. આ મનના દુરુપયોગનું દૃષ્ટાંત છે. આપણે જો મનનો સદુપયોગ કરીએ, આપણા મનમાં શ્રીપાલ અને મયણાની જેમ પરમાત્મા, નવપદો, નમસ્કાર મંત્ર અને સિદ્ધચક્રને વસાવીએ, તો આ મન આપણને મોક્ષપર્યંતની સર્વ સંપદાના માલિક બનાવી શકે છે. વેપારમાં નુકસાન કરીને જે ભાઈ આવ્યા છે, તેને ગુરુમહારાજ તેની પાસેની મૂડી બતાવે છે. આ માનવદેહ રત્ન ચિંતામણિ સમાન છે. આયુષ્ય એ આપણી મૂડી છે. તેમાં પણ “માનવ મન' - જો તેમાં પરમાત્મા વસે તો અનંતકાળના ભાવિ સુખોનું સર્જન કરવાને સમર્થ છે. હજી આગળ સમજાવે છે – આ માનવદેહ, તેના દસે પ્રાણો, માનવ મન- આ બધાનું સંચાલન કરનાર અંદર રહેલ આત્મા તે તું પોતે છે. તે આત્મા અનંત સુખ, અનર્ગળ આનંદ, અચિંત્ય શકિત અને કેવળજ્ઞાન આદિ ગુણલક્ષ્મીનો ભંડાર છે. આ દેહમાંથી જ્યારે તારે જવું પડશે, તે દિવસે તારા આત્માના અસંખ્ય પ્રદેશમાંથી એક પણ ઓછો થવાનો નથી. વેપારમાં નુકસાન થાય છે; પરંતુ તારા આત્મામાં રહેલાં સુખ અને આનંદના મહાસાગરમાંથી પ્યાલો ભરીને લઈ જવાને કોઈ સમર્થ નથી. વળી જ્ઞાની ગુરુભગવત તેને આત્મસ્વરૂપ અને તેની આરાધના બતાવે છે. પોઝીટીવ વિચારધારા ત તેમના જીવનનું મહત્વનું અંગ હતું. “ના” કદી તેમની પાસેથી નીકળતી નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy