SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ આધારે ઘણી વખત સમજાવતા. પ્રિય, સત્ય અને શાસ્ત્ર અનુસાર વાણી એ પરોપકારનું દિવ્ય સાધન છે. મનુષ્યના મુખમાંથી નીકળતા વચનોના આધારે મનુષ્ય શોભે છે. માણસ દેખાવમાં રાજ કુમાર જેવો શોભતો હોય, પણ જ્યારે કાંઈ બોલે અને તે ઠેકાણા વગરનું હોય તો તેની કોઈ કિંમત નથી. દેખાવમાં કદાચ શ્યામ વર્ણ હોય, પણ બોલે ત્યારે પ્રિય, મધુર અને શાસ્ત્રાનુસારી હોય, બીજાઓના જીવનમાં પ્રેરણાત્મક હોય તો તે શોભી ઊઠે છે. એક લાખ માણસની સભામાં ત્રણ મિનિટ સમય આપ્યો હોય અને બાર વાક્યોમાં અરિહંત પ્રભુની અને તેમના કહેલા ધર્મની સર્વોપરીતાના વિષયમાં પ્રવચન કરવાનું હોય તો કેટલું અઘરું છે ? એક કલાકનો સમય હોય તો વિષય બરોબર વ્યવસ્થિત રીતે રજૂ કરી શકાય, પણ ત્રણ મિનિટમાં બાર વાક્યોમાં અરિહંત પરમાત્મા અને તેમના કહેલા ધર્મની સર્વોપરીતા કેવી રીતે બતાવવી ? વર્ણાક્ષરોનું ધ્યાન સિદ્ધ કર્યું હોય તો કાંઈપણ પૂર્વ તૈયારી સિવાય આ કાર્ય આનંદથી કરી શકાય અને સાંભળનારને અહોભાવ થાય કે, “જિનેશ્વર ભગવંતો સર્વોત્તમ છે અને તેમનો પ્રરૂપેલો ધર્મ સર્વશ્રેષ્ઠ છે.” વાણી એ મનુષ્યની શોભા છે. વાણીની શોભા શું ? “વાસ્થાશ્વ શોમાં ગુરુવમસિ” વાણીની શોભા એ દેવ-ગુરુની ભકિત છે. વાણીનો ઉપયોગ દેવ-ગુરુની ભકિતમાં કરવાનો છે. જ્યારે વાણીનો પ્રયોગ દેવ-ગુરુની ભકિતમાં થાય ત્યારે શું થાય ? મજે શોમાં સ્વ-પર- વધ: | ભકિતની શોભા સ્વ-પર આત્માનો બોધ છે. પોતાનું શું ? પારકું શું ? તે દેવ-ગુરુની ભકિતથી સમજાય છે. અને આત્મસ્વરૂપ પણ સ્પષ્ટપણે સમજાય છે. “સ્વ-પરાત્મબોધ'ની શોભા સમતા અને શાંતિ છે. “સમત્વ યોગ” - “સામાયિક યોગ” - મોક્ષનું સીધું કારણ છે. દેવ”- ગુરુની કૃપા સિવાય સ્વ - પર આત્માનો બોધ થતો નથી. જીવનનો સાચો માર્ગદર્શક સ્વ – પર આત્માનો બોધ છે, અને તે બોધ સમતા અને શાંતિ દ્વારા મોક્ષ પર્યત પહોંચાડે. “દેવગુરુની ભકિત એટલે નમસ્કાર તે” સાચો બોધ કરાવી. જીવનમાં સામાયિક ભાવને ઉત્પન્ન કરાવી, મોક્ષના અનંતા સુખોને આપે છે. પૂ. ગુરુમહારાજનો આ અતિ પ્રિય શ્લોક આપણને જીવનમાં ખૂબ પ્રેરણાદાયી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy