SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ પૂ. ગુરુમહારાજની શરીર પ્રત્યેની ભાવના, મરણ એ રાધાવેધ સાધવા જેવો એક કપરી સાધનાનો પ્રસંગ છે. રોગ એ શરીર પ્રત્યેનું મમત્વ નાશ કરવા માટે ઉપયોગી બને છે. રોગની પીડા મૃત્યુના ભવ્ય પ્રસંગને બગાડવા તૈયાર થાય ત્યારે જ્ઞાની પુરુષ શરીરનું મમત્વ છોડીને આત્મસ્વરૂપના સ્વાધીન સુખને પ્રાપ્ત કરવા માટે, ઉપયોગને શરીર તરફથી મુકત કરીને - આત્મ ઉપયોગમાં લીન બનીને મરણને મહોત્સવ બનાવે છે. સંતાપ ઉપજાવનાર મરણને સંતો બોધિ અને સમાધિ દ્વારા પ્રેમથી સ્વીકારીને મહોત્સવરૂપ બનાવે છે. જીવનભર કરેલી આરાધનાનું ફળ સમાધિમરણ છે, જેને જ્ઞાનીઓએ હંમેશા ઈષ્ટ માન્યું છે. જેમ નાટક ભજવનારો નાટક પૂર્ણ થતાં પોતાના મૂળ વેષને ધારણ કરે છે, તેમ આ સંસારમાં ભટકતાં પ્રાપ્ત થયેલ આ માનવજન્મનું નાટક પૂર્ણ થતાં આપણાં મૂળ સ્વરૂપની પ્રાપ્તિ માટે મહાવિદેહમાં પ્રભુ પાસે પહોંચવા આપણે મરણને મહામહોત્સવરૂપે સ્વીકારવું તે પરમ લાભનું કારણ છે. વાણી, ભકિત, બોધ અને સમતા- આ ચારેથી સર્વોત્તમરૂપે પૂ. ગુરુમહારાજ વિભૂષિત હતા. આ ચારનો સમન્વય આ શ્લોકમાં છે – शोभा नराणां प्रियसत्यवाणी, वाण्याश्च शोभा गरुदेवभक्तिः । भक्तेश्च शोभास्वपरात्मबोधः, बोधस्य शोभा समता च शान्तिः ॥ આ શ્લોક પૂ. ગુરુમહારાજને બહુ જ પ્રિય હતો. આ શ્લોક વ્યાખ્યાનના મંગલાચરણ રૂપે ઘણી વખત તે કહેતા. મનુષ્યની શોભા શું ? પ્રિય અને સત્ય વાણી. અને સકલ વાણીનું ઉત્પાદન કેન્દ્ર અનાદિ સિદ્ધ વર્ણમાતૃક છે. બારાખડીના મ થી સુધીના ૪૯ અક્ષરોનું યોગના ગ્રન્થોમાં અનાદિ સિદ્ધ વર્ણમાતૃકા રૂપે ધ્યાન કરવાનું બતાવ્યું છે. આ પુસ્તકમાં અન્યત્ર છપાયેલું વર્ણમાતૃકાનું ધ્યાન યોગશાસ્ત્રના આઠમા પ્રકાશના પહેલા પાંચ શ્લોકના આધારે ૨૦૧૬માં પૂ. ગુરુમહારાજે બતાવેલું તે, તેમજ વર્ણાક્ષરોનું વિશિષ્ટ ધ્યાન આ.ભ. શ્રી સિંહતિલકસૂરિશ્વરજી મહારાજાએ રચેલા “પરમેષ્ઠિ વિદ્યા યંત્ર કલ્પ” ના આધારે ૨૦૧૯માં બતાવેલું તે સાધના સાધકના જીવનમાં વિશેષ રીતે ચાલુ રહે તે માટે ઉપરના શ્લોકના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy