SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ આ સૂત્ર એક જીવનો બીજા જીવ સાથે સંબંધ સૂચવે છે. જીવનું સ્વરૂપ જ એવું છે કે તેની સાથે અનુકૂળ સંબંધ રાખીએ છીએ તો અનુગ્રહ થાય છે, જીવો સાથે પ્રતિકૂળ વ્યવહાર રાખવાથી નિગ્રહ થાય છે. એક કીડીને મારવાનો પરિણામ નરકાદિ ગતિનું કારણ બને છે અને તે જ કીડીને બચાવવાનો પરિણામ સ્વર્ગાદિ ગતિનું કારણ બને છે. જ્વની શકિત જ આવા પ્રકારની છે. તેનાથી અનુગ્રહ - નિગ્રહ થાય છે. એક જીવ પ્રત્યેના પ્રતિકૂળ વ્યવહારને સર્વ જીવ પ્રત્યેના પ્રતિકૂળ વ્યવહાર સમાન સમજી સર્વ જીવ સાથે અનુકૂળ વ્યવહા૨ ક૨વો જરૂરી છે. વોની ઉપેક્ષા પણ દ્વેષરૂપ છે એટલે ઉપેક્ષા છોડી સર્વે જીવો પ્રત્યે મૈત્રી આદિ ભાવથી ભાવિત બનવું, જીવદ્રવ્ય સાથે એકતાને ભાવિત કરવા માટે આ સૂત્રનું અનુપ્રેક્ષા - ધ્યાન કરવું. આ સૂત્રના ચિંતનથી ચિત્તની શુદ્ધિ, ગાંભીર્ય, ઔદાર્ય, સૌજન્ય આદિ ગુણો વિકસે છે. ક્ષમાદિ દશ પ્રકારના ધર્મમાં સ્થિરતા આવે છે. (૩) દલતયા જીવાત્મા એવ પરમાત્મા પૂર્ણતાના વિજ્ઞાનનું આ સૂત્ર છે. - આ સૂત્ર જીવમાં સત્તાએ રહેલ પરમાત્મ તત્ત્વને બતાવે છે. જીવમાં રહેલ ચૈતન્ય - શકિતરૂપે પરમાત્મ સ્વરૂપ છે. ‘સર્વે નીવા ૩૫ાવેયા, વિત્તરુષા શિવાત્મા' પ્રત્યેક જીવમાં શકિતરૂપે પરમાત્માને જોવાથી આર્ત્ત-રૌદ્ર ધ્યાન ઘટી જાય છે. મારા આત્મામાં પરમાત્માના જેવું દિવ્ય સ્વરૂપ સત્તાએ રહેલું છે તેવો આ સૂત્રમાં ભાવ જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનારૂપ છે. મારા અંદર પરમાત્માના જેવું સ્વરૂપ છે એવી સભાનતા તે સમ્યગજ્ઞાન છે. મારા અંદર રહેલા પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવાની તીવ્ર ઝંખના તે સમ્યગ્ દર્શન છે. અને તે પ્રાપ્ત કરવાના ઉપાયનું સેવન તે સમ્યગ્ ચારિત્ર છે. આપણા અંદર રહેલા પરમાત્મ સ્વરૂપનો ભાવ, નિશ્ચયને શુદ્ધ કરે છે. તે શુકલધ્યાનનું બીજ છે. જગતના જીવોમાં રહેલ પરમાત્મ તત્ત્વની ભાવના વ્યવહારને શુદ્ધ કરે છે. જગતના જીવોમાં ૫૨માત્મ તત્ત્વ જોવાથી મૈત્ર્યાદિ ભાવો, ક્ષમાદિ ગુણો, સમિતિ-ગુપ્તિનું પાલન, મહાવ્રતોનું પાલન, શ્રાવકોચિત ક્રિયાનું શુદ્ધિકરણ થાય છે. તારૂં ધ્યાન તે સમતિરૂપ, તેહી જ જ્ઞાન ને ચારિત્ર છે જી; તેહથી જાયે હો સઘળાં રે પાપ, ધ્યાતા ધ્યેય સ્વરૂપ બને પછે જી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy