SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ સાધક - છ સૂત્રોના ચિંતન – ધ્યાન વિષયમાં આપ કાંઈ સમજાવવા કૃપા કરો. પૂ. ગુરુ મહારાજ :-(૧) ઉપયોગો લક્ષણમ્ (૨) પરસ્પરોપગ્રહો જીવાનામ્ (૩) ગુણ પર્યાયવત્ દ્રવ્ય (૪) દલતયા જીવાત્મા એવ પરમાત્મા (૫) ઉત્પાદ – વ્યય - ધ્રૌવ્ય યુકત સત્ (૬) તલ્કાવાવ્યય નિત્ય હવે ગુરુ મહારાજ છ સૂત્રોની ચિંતન-અનુપ્રેક્ષા અને ધ્યાન પ્રક્રિયા બતાવે - (૧) ઉપયોગી લક્ષણ - જીવનું પુદ્ગલથી ભેદ વિજ્ઞાન. જીવનું લક્ષણ ‘ઉપયોગ” છે. અજીવ-પુદ્ગલ દ્રવ્યનું લક્ષણ સડણ પડણ વિધ્વંસન છે. પુદ્ગલથી આત્મદ્રવ્યની ભિન્નતા આ સૂત્રથી અનુભવાય છે. પુગલમાં પોતાપણાની બુદ્ધિરૂપ મિથ્યાત્વનો ધ્વંસ કરવા માટે જીવ અને પુદ્ગલનો ભેદ ભાવિત કરવો જોઈએ. સુખમાં લપટાતા અને દુઃખમાં દીન બનતા આત્માને રોકવા માટે પગલથી આપણું સ્વરૂપ ભિન્ન છે તેવું ભાવિત કરવું જરૂરી છે. ઉપયોગો લક્ષણ” ભેદ વિજ્ઞાનનું સૂત્ર છે. જીવનું લક્ષણ ઉપયોગ છે. પુદ્ગલનું લક્ષણ રૂપ, રસ, ગંધ અને સ્પર્શ છે. ઉપયોગમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અનુસ્મૃત છે. પુદ્ગલ વિનાશી અને જીવ અવિનાશી છે. લક્ષણ ભેદે પુદ્ગલથી ભિન્નતા ભાવિત કરવી. આપણા આત્માની પુદ્ગલથી ભિન્નતા ભાવિત કરવાથી પુદ્ગલ પ્રત્યેનું આકર્ષણ મરી જાય છે. જડ કરતાં ચૈતન્યનું સામર્થ્ય અધિક છે. જડ પરતંત્ર છે. ચેતન સ્વતંત્ર છે. ચૈતન્યની સ્વતંત્રતાનું ઉપયોગો લક્ષણથી ભાન થવાથી, પુદ્ગલનું દાસત્વ છૂટી જાય છે. તેથી વૈરાગ્ય દઢ અને પ્રબળ બને છે. વૈરાગ્યની દૃઢતા અધ્યાત્મ માર્ગનું પ્રથમ સોપાન છે. પુદ્ગલનું મમત્વ ઘટી જાય છે અને સ્વરૂપનું અનુસંધાન કરવાની ભૂમિકા સર્જાય છે. (૨) પરસ્પરોપગ્રહો જીવાનામું - જીવો સાથે સંબંધ વિજ્ઞાનનું આ સૂત્ર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy