SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ કારણ કે અરિહંત પરમાત્મા (૧) ઉત્કૃષ્ટ ગુણસ્વરૂપ છે. (૨) અચિન્ય શકિત સંપન્ન છે. (૩) સંપૂર્ણ અભયને પામેલા છે. (૪) સર્વથા પાર્થના કરનાર છે. માટે આપણા સમર્પણને પૂર્ણપણે ઝીલે છે. આ ભાવથી અરિહંત પરમાત્માના શરણે જઈ પૂર્ણ સમર્પણ કરી, ધ્યાનમાં સ્થિર થવાય છે ત્યારે પ્રભુ તરફથી પ્રતિભાવ મળે છે. ભગવાન આપણને તેમનામાં એકતાન કરી દે છે. એકમેક મળે છે. સાધકમાં પરમાત્મા પોતાના રૂપનું દર્શન કરાવે છે. અને નિજ આત્મામાં પરમાત્મા પોતાના સ્વરૂપનું જયારે સાધકને દર્શન કરાવે છે. ત્યારે સાધક કૃતકૃત્ય બની જાય છે. સાધક સમાધિમાં ડૂબી પરમ આનંદરસનું વેદન કરે છે. મહાયોગી આનંદધનજી પણ શાંતિનાથ ભગવાનના સ્તવનમાં ગાય છે કે આપણો આતમભાવ જે, એક ચેતનાધાર રે, અવર સવી સાથે સંયોગથી, એહ નિજ પરિકર સાર રે, પ્રભુ મુખથી એમ સાંભળી, કહે આતમરામ રે, તાહરે દરિશને નિસ્તર્યો, મજ સિધ્યાં સવિ કામ રે. પ્રભુમુખથી જયારે ભકતને સાંભળવા મળે છે કે “તું આ દેહરૂપ નથી. પરવતુ, પરપુદ્ગલ તારું સ્વરૂપ નથી. તું સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે, અનંત સુખ અને આનંદનો પરમ નિધાન છે, અચિંત્ય શક્તિનો સ્વામી છે. તારા પરમાનંદનો તે અનુભવ કર. આવું યથાર્થ જિનવાણી રૂપ અમૃતનું પાન (Secret ofSupreme-Self) સાધકને પરમાત્મા સાથેના અંતરઆત્માના ગુહ્ય વાર્તાલાપમાં થાય છે. આવી ક્ષણની પ્રતીક્ષા જે મનુષ્ય કરતો હોય છે, તેને આ જીવનમાં પરમાત્માનો સાક્ષાત્કાર થયા વગર રહેતો નથી. પરમાત્માના મુખથી આ વચન સંભળાય છે, ત્યારે સાધકના આનંદનો પાર રહેતો નથી. તેથી જ કહ્યું છે કે; “અહો ! અહો ! હું મુજને નમું, મજ નમો મુજ નમો મુજ રે, અમિત ફળ દાન દાતારની, જેહને ભેટ થઇ તુજ રે.” ભકત પોતાના સર્વસ્વનું પ્રભુને સમર્પણ કરે છે. ત્યારે (પૂ. આનંદધનજી મહારાજ) પરમાત્મા નિજ સ્વરૂપનું દાન આપે છે અને ભકત પ્રેમપૂર્વક તેને ગ્રહણ કરે છે, તે ધન્ય છે, કૃતપુણ્ય છે. તેનો જ જન્મ સફળ છે. “આજ જિનરાજ મુજ કાજ સિધ્યા સવે વિનતી માહરી ચિત્ત ધારી, માર્ગ જો મેં લહ્યો તુજ કૃપારસ થકી પ્રગટ હુઇ સંપદા સકલ સારી.” (ઉ. યશોવિજ્યજીકૃત ૩૫૦ ગાથાનું સ્તવન, ઢાળ ૧૭મી) હે પ્રભુ ! તેં આર્જ મારી વિનંતી સાંભળી અને તારા કૃપારસથી મને જે માર્ગ મળ્યો છે, તેનાથી આત્મસમૃદ્ધિની સકલ સંપદા પ્રગટ થઇ. (અનુભવમાં આવી) આજ મારા સર્વ કાર્ય સિદ્ધ થઇ ગયાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy