SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ તું સદબુદ્ધિ આપજે. મારી નહીં, તારી ઈચ્છા મુજબ થાઓ. તારી ઈચ્છા એ જ સર્વસ્વ બનો. મારી ઈચ્છા તારામાં જ વિલીન થઈ જાઓ. તારા શરણે આવેલાને તારામાં સમાઈ જવાનો માર્ગ મળે તે માટે તું મને હથિયાર બનાવી જેવું લખાવીશ તેવું લખીશ. સૌના હૃદયમાં તું વસે તેવા ભાવો પરિપૂર્ણ થવા માટે જરૂરી હોય તેટલું જ લખાવજે. તારી આજ્ઞા વિરૂદ્ધ લખવાની ભૂલ ન થાય તે માટે તું મારી રક્ષા કરજે. શ્રુતજ્ઞાનની અધિષ્ઠાયિકા મા સરસ્વતીદેવીને હૃદયમાં ધારણ કરી મુખ કમળમાં તેનું ધ્યાન કરી માનો આશીર્વાદ લઈ આ લખાય છે. સૌ કોઈ તારું ગુણગાન કરી, તારું ધ્યાન કરી, આત્માનો આનંદ અનુભવે તેવી ભાવના પરિપૂર્ણ થાય તેવું તારી કૃપાથી લખાવજે. તું જ સર્વસ્વ ! તું જ માતા ! તું જ પિતા ! તું જ જીવન ! તે જ આધાર ! તે જ શરણ ! તું મુજ પ્રીતમ ! તુંહી, તુંહી, તુંહી, તુંહી, તુંહી પ્રભુ ! તુંહી તુંહી યુંહી ધરતા ધ્યાન રે. (( સમર્પણ) પ્રશ્નઃ હે મહાજ્ઞાની ગુરુ ભગવંત ! આજ સુધી સમર્પણ ઘણાને કર્યું, પણ કોઈ કાર્ય સિધ્ધ થઇ શકયું નથી. તો શું કરવું ? જ: સમર્પણ ઝીલનાર યોગ્ય હોય, કરુણાવંત હોય, વીતરાગ હોય, સર્વજ્ઞ હોય, નિજરૂપના દાતા હોય, તો સમર્પણનું પૂર્ણ ફળ મળે. અરિહંત પરમાત્મા વીતરાગ હોવાથી પોતાની પૂજા કરાવવાની ઇચ્છા ન હોવાથી પોતાનું સર્વસ્વ પોતાના ભકતને દાનમાં આપે છે. જેને પોતાની પૂજા કરાવવાની ઇચ્છા હોય તે ભકતોની ઇચ્છા પૂરી કરે છે. થોડું થોડું આપે છે, જ્યારે વીતરાગ પોતાનું સર્વસ્વ આપે છે. “પરકૃત પૂજા રે જે ઇચ્છે નહીં, કારજ સાધક દાવ. - શ્રી દેવચંદ્રજી કૃત ૧૨માં ભગવાનનું સ્તવન વિશ્વમાં આપણા સમર્પણને ઝીલનાર અરિહંત પરમાત્મા સર્વશ્રેષ્ઠ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy