SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ સૌને રાતા પહોંચાડતું મધુર સ્મિત | સંસાર દાવાનળમાં બળ્યો - ઝળ્યો મુમુક્ષુ જ્યારે ગુરુભગવંતના દર્શને આવતો અને ગુરુમહારાજ મધુર સ્મિતથી તેનું મૌન સ્વાગત કરતા ત્યારે સંસાર દાવાનળના દાહમાં બળતો જીવ શાતાને અનુભવતો. આવો અનુભવ પૂજ્ય પંન્યાસ ભદ્રંકરવિજયજી પાસે જનાર સૌ કોઈને થયો છે. અમે તો પ્રત્યક્ષ અનુભવ કર્યો છે. આજે તો હવે પૂ.ગુરુભગવંતની પાસે સંસારની ઉપાધિ, ખેંચતાણ, ટેન્શન, ચિંતા, ભયજનક સ્થિતિની વાત કરી ઉપાય પૂછવો છે. તેવું ઘેરથી નકકી કરીને નીકળ્યા પછી સૌને શાતા પહોંચાડતા સ્મિતથી મૌન સ્વાગત થતાં સંસારની વાત કરવાનું જ ભૂલાઈ જાય. તેમનો આધ્યાત્મયોગ એટલો ઊંચો હતો કે સંસારની વાત કરવાનું યાદ જ ન આવે. પ્રભુભકિતના મધુર રસ વડે તે સંસારરસને ક્ષીણ કરી નાખતા. તે તેમની મહાન અધ્યાત્મ સિદ્ધિ હતી. ધન્ય છે આવા મહાત્માઓને - જેમનું જીવવું સાર્થક થયું અને બીજાઓને પણ સન્માર્ગ મળ્યો. આત્મસાક્ષાત્કાર મુખમાંથી નીકળેલા શબ્દો વધુમાં વધુ બુદ્ધિ સુધી પહોંચાડે છે. હૃદયની વાણી હૃદયને સ્પર્શે છે. નાભિમાંથી નીકળેલો શબ્દ સાંભળનારને અનુભવ સુધી પહોંચાડે છે. પૂ. ગુરુભગવંતના નાભિમાંથી નીકળતો નાદ સાચા ઝીલનારને અનુભૂતિ સુધી લઈ જાય છે. આ ગ્રંથ લખતાં લખતાં ભાવવિભોર બની જવાય છે. કલમ થંભી જાય છે. ગુરુ ચરણમાં ઢળી પડાય છે. પ્રભુનો મેળાપ કરાવી આપે તેવા ગુરુ મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરીને સાધક ગદ્ગદ્ બની જાય છે. પ્રભુના મેળાપની ઝંખના ગુરુએ કરાવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy