SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ પ્રસંગ હવે શરૂ કરાય છે. વચ્ચે એક નાનો પણ મહત્ત્વનો પ્રસંગ જોઈ લઈએ. સાધક : હવે આરાધના કઈ દિશામાં આગળ વધારવી ? પૂ. ગુરુમહારાજ : જ્ઞાનીઓએ સંસારનું જે સ્વરૂપ બતાવ્યું છે તેમાં જ્વની સર્વ અવસ્થા બતાવી છે. તે બધી મારી અવસ્થા છે તેમ સમજી સર્વ જીવોમાં પોતાપણાની બુદ્ધિ ધારણ કરવી- એટલે કે બીજાના દુઃખોને પોતાના દુઃખ સમાન ગણી કરુણા, ક્ષમાદિ ધારણ કરવાં, સિદ્ધ ભગવંતોના સુખનો પ્રમોદ કરવો. સર્વ જીવ સાથે પોતાના પ્રત્યે છે તેવી લાગણી ધારણ કરવી. ભગવાન પ્રત્યે તટસ્થ રહેવું તે ગુનો છે. તે પ્રમાણે જગતના જીવો પ્રત્યે તટસ્થ રહેવું તે ગુનો છે. જીવો પ્રત્યે ઉપેક્ષા મહાદોષ છે. ચૈતન્ય પ્રત્યે પ્રેમ કરવાથી જડનો રાગ જાય છે. વિશ્વના જીવોનું હિત ચિંતવવાથી અનંત જીવોને નવકારશીનું જમણ આપવા જેટલું પુણ્ય બંધાય છે ટૂંકમાં જીવો સાથે અભેદનું જ્ઞાન સહજ સ્વભાવે અનાયાસે સિદ્ધ થવું જોઈએ. સકલ જ્વરાશિ સાથેનો અભેદ સર્વ વિરતિ સુધી પહોંચાડે છે. અને જીવરાશિ પ્રત્યનો અભેદભાવ સમિતિ ગુપ્તિનું પાલન અને દસવિધ તિ ધર્મ સુધી લઈ જાય છે. શુદ્ધ આત્મા - પરમેષ્ઠિઓ સાથેનો અભેદ શુકલ ધ્યાનની શ્રેણી ઉપર ચઢાવે છે. સર્વ કલ્યાણકારી ય આજ પર્યંતના ૨૩ વર્ષોના કોઈપણ પ્રસંગમાં બીજા જીવોના કલ્યાણની વાત ન આવી હોય તેવો એક પણ પ્રસંગ યાદ નથી. પંન્યાસજી મહારાજની વાણીમાં જીવ માત્રના કલ્યાણનો ભાવ આવે, આવે ને આવે જ. આત્માના અનુભવની પરાકાષ્ઠાની વાત ચાલતી હોય ત્યારે પણ જીવ માત્રમાં પરમાત્મ સ્વરૂપના દર્શન થાય તે સાધકનું આત્મદર્શન તે સાચું આત્મદર્શન ગણાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy