SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ પૂ. ગુરુમહારાજ અમૃતરસનું મધુર પાન કરાવે છે (i) જિન કથિત તત્ત્વામૃતનું પાન. (i) તેના ફળ સ્વરૂપ ભકિતરસનું અમૃતપાન. (ii) ભકિતરસના ફળ સ્વરૂપ આત્માના અનુભવ રસનું પાન. “પ્રાણી માત્રના કલ્યાણભાવની પરાકાષ્ઠા” – આ ભાવ શરૂઆતમાં શબ્દરૂપ, પછી ભાવ રૂ૫ પાન અને છેલ્લે રસ (શુચિરસ) સ્વરૂપ અને તે રસના આસ્વાદ રૂપ પરમ અમૃતનું પાન, “સકલ સર્વી હિતાશય અમૃત પરિણામ લક્ષણ'ના ફલશ્રુતિ રૂપ સર્વ જીવ સાથે અભેદ મીલન. મનુષ્યના હૃદયમાં સર્વના હિતાશય રૂ૫ ભાવ સામગ્રી તો ગમે તેટલું આપો, કદી નહીં ખૂટે. અખૂટ ભંડાર ભરેલો પડ્યો છે. તીર્થકરોની આવી “સવિ જીવ કરું શાસન રસી” - આ ભાવના રૂપ મહાશકિતના પ્રભાવે નિગોદમાંથી જીવોનું નીકળી મોક્ષ તરફ પ્રયાણનું કાર્ય અવિરતપણે ચાલુ છે. બસ ! અમૃતરસોના ભંડાર સમા પૂ. ગુરુમહારાજ “સાધક'ને અમૃતરસ પીવડાવવા બેઠા છે. અધ્યાત્મ યોગી ગુરુએ અમૃતથી ભરેલો અનુભવ પ્યાલો આપ્યો અને સાધક પૂર્ણાનંદના અક્ષય અવિચલ રસના પ્યાલાનું પ્રેમપૂર્વક પાન કરે છે. અનુભવ પ્યાલો સાધક પી ગયો. - પ્રિય વાચક મિત્રો !તમે તમારા ગુરુને ગૌતમ રૂપે પૂજશો તો તે “ગૌતમ” રૂપે તમારા જીવનમાં ફળશે. તમે અરિહંત પરમાત્માને “અચિન્ય અનંત શક્તિ” સ્વરૂપે પૂજશો તો પરમાત્માની અચિત્ય અનંત શકિત તમને મોક્ષપર્વતની સર્વ સંપદાઓ, સિદ્ધિઓ, અને લક્ષ્મીઓ આપશે જ. “શ્રદ્ધા” ન ધારેલાં પરિણામો લાવવાનું સામર્થ્ય ધરાવે છે. શ્રદ્ધાનું કેન્દ્ર પરમાત્માને રાખો. પછી જુઓ મઝા! જીવનનો સાચો આનંદ મળશે. જિન આગમના પરમ રહસ્યો સ્વરૂપ ગ્રંથોના ગ્રંથો ભરાય તેટલું તત્ત્વ પૂ. ગુરુમહારાજે પીરસ્યું. તેમાંથી સૌને ઉપયોગી કેટલુંક હવે નોંધું છું. તેમાં ૨૦૩૩ના મહા વદ ૧૧ થી ફાગણ સુદ ૬ સુધીનો ઘાણેરાવના ઉપધાનનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy