SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુવચન - જેનામાં જે મેળવવાની યોગ્યતા ન હોય તેને તે વસ્તુ મેળવવાની ઈચ્છા થતી નથી. જેને પ્રભુને મેળવવાની તીવ્ર ઝંખના થાય તેને પ્રભુ મળ્યા સિવાય રહેતા નથી. | સાધક હદયની પ્રાર્થના-વ્યથા-તૃપ્તિ | अस्मिन् हृदयस्थे सति, हृदयस्थस्तत्त्वतो मुनीन्द्रइति । हृदयस्थिते च तस्मिन्नियमात् सर्वार्थसंसिद्धिः ॥ જિન પ્રવચન હૃદયમાં પ્રતિષ્ઠ થતાં પરમાર્થથી પરમાત્મા જ પ્રતિષ્ઠ થાય છે અને પરમાત્મા પ્રતિષ્ઠ થતાં સર્વ પ્રયોજન સિદ્ધ થાય છે. (ષોડશક) સંવેદન હે મારા અંતર્યામિ પરમાત્મા ! સ્વામિ ! “તમે કાંઈ કામણ કીધું, ચિત્તડું હમારૂં ચોરી લીધું.” હે મારા જીવનના સાચા શિલ્પી ! હે મારા જીવનના અદ્ભુત સ્વપ્નોના પ્રેરક પ્રભુ ! જીવનનાં મહાન સ્વપ્નોનું સર્જન કરીને હવે શા માટે ટળવળાવો છો નાથ! સગરનો આપે યોગ કરાવી આપના કહેલા વચનના પરમાર્થના અમૃતરસનું પાન કરાવ્યું. સગુરૂના યોગ દ્વારા મારામાં રહેલા પરમ નિધાનની ઝાંખી કરાવી. પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન. આત્માની પૂર્ણતાના પરમાનંદના ખજાનાનું સ્વરૂપ આપના પ્રવચન દ્વારા સદ્દગુરુએ બતાવ્યું અને આપના પ્રવચનનો (વાણીનો) ચાહક બન્યો. વાણીનો શા માટે ! હવે તો હું તમારો જ ચાહક બન્યો. આપની વાણી સાંભળતાં હૃદય પુલકિત બન્યું અને પુલકિત હૃદયમાં પ્રભુ તમે પ્રવેશી ગયા. હવે ક્ષણ પણ પ્રભુ તમને ભૂલી શકતો નથી. આપની પાછળ ઝૂરું . જગતના પદાર્થોની મમતા છોડીને અનેક સગવડોને છોડીને ભણું . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy