SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ પૂ. ગુરુ મહારાજ- જેની ચારે તરફ પરમાત્માના દિવ્ય તેજનું આભામંડલ નિરંતર રહેતું – આવા સદ્ગુરુ સાક્ષાત્ પ્રભુનું હૃદયમાં દર્શન કરીને અનુભવ દ્વારા તત્ત્વ શીખવાડે છે; જે સાંભળી આપણે ધન્ય ધન્ય બની જઈએ છીએ. જ્યારે ગુરુભગવંતનો મેળાપ થાય ત્યારે તેમની આંખમાંથી પરમાત્માની ઝલક દેખાતી અને અરિહંતના ભાવ ઊભરાતા દેખાય. પરમાત્મા પાસે પહોંચવાના દ્વાર સરીખો સદ્ગુરુનો મેળાપ, આત્માનુભવ અને આત્મસ્વરૂપ પ્રગટીકરણ સુધી પહોંચાડી ભવભ્રમણથી મુકત કરે છે. આપણે સૌ તેમના સંદેશાને પ્રહણ કરી જિન ભકિતમાં સ્થિર બનીએ. ગુરુ વચનામૃત ભકિતનું સ્વરૂપ મૈત્રીની જેમ ભકિત પણ મધુર પરિણામ છે. શાંત રસના આવિર્ભાવમાં તેની આવશ્યકતા સ્વીકારેલી છે. સામાયિક શબ્દના અર્થમાં નિર્યુકિતકાર ત્રણ વિભાગ પાડે છે. (૧) સામ (૨) સમ (૩) સમ્મ. તેમાં પ્રથમ “સામ' શબ્દનો અર્થ મધુર પરિણામ - એમ ટીકામાં સ્પષ્ટ કરે છે. નવકારના પ્રથમ પદમાં રહેલ “નમો’ શબ્દ “દ્રવ્ય-ભાવરૂપ' ભકિત સ્વરૂપ છે. તેથી તે પણ “મધુર પરિણામ” રૂપ છે. ભકિત એ “પરમાનંદનું બીજ” છે - એમ ઉપાધ્યાયજી મહારાજ પણ ફરમાવે છે. सारमेतन्मया लब्धं श्रुतसागरगाहनात् भक्तिर्भागवती बीजं, परमानंदसंपदा (યશોવિજયજી) જેમ ભોજન કરનારને પ્રત્યેક કોળીએ તુષ્ટિ, પુષ્ટિ અને સુધા નિવૃત્તિ એકી સાથે થાય છે, તેમ પ્રભુ ભકિતમાં (૧) ભકિત (૨) વિરકિત અને (૩) પરમાત્માનું અનુભવાત્મક જ્ઞાન - એમ ત્રણે એક કાળે થાય છે. તેનાથી પરમ શાંતિ મળે છે. ભકિત એ આત્મિક ભોજન છે. ભકત હૃદયને તેનો અનુભવ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy