SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ જેમ કલ્પવૃક્ષમાં તમામ વૃક્ષો સમાઈ જાય છે, ચિંતામણિરત્નમાં બધા મણિઓ સમાઈ જાય છે, તેવી રીતે તમામ ધર્મો શ્રી અરિહંત ભકિતમાં સમાઈ જાય છે. અરિહંત ભકિત તમામ ધર્મના ફળને આપનાર હોવાથી અરિહંત ભકિતમાં તમામ ધર્મો સમાઈ જાય છે. जह बहुकालं धन्ने पुक्खलसंवट्टमेहजलवुट्ठी । तह जिणभत्तीइक्का जीवे सुचिरे सुहे देऊ ॥ જેમ પુષ્કરાવર્સ મેઘની જલવૃષ્ટિ ઘણા કાળ સુધી ધાન્યને દે છે, તેમ એક અરિહંત ભકિત જીવોને ઘણા લાંબા કાળ સુધી સુખોને આપે છે. (નમસ્કાર ચિંતામણિ શ્લોક ૬૪, ૬૫.) क्षिा रायौ सुखे दुखे, शोके हो गृहे बहिः । क्षुधि तृप्तौ गमे स्थाने, ध्यातव्याः परमेष्मिः ॥ દિવસે કે રાત્રે, સુખમાં કે દુઃખમાં, શોકમાં કે હર્ષમાં, ઘરમાં કે બહાર, ભૂખ્યા કે તૃપ્તિમાં, ગમનમાં કે સ્થાનમાં (સ્થિરતામાં) પરમેષ્ઠિઓનું ધ્યાન કરવું જોઈએ. अपविना पवित्रो वा, सुस्थितो दुस्थितोऽथवा । ध्यायन् पञ्चनमस्कारं, सर्वपापैः प्रमुच्यते । અપવિત્ર હોય કે પવિત્ર હોય, સુખી હોય કે દુઃખી હોય, પણ જે નવકારનું ધ્યાન કરે છે, તે સર્વ પાપોથી મુકત થાય છે. પૂજ્ય ગુરૂમહારાજનો સાધનામાં ઉપયોગી વિચાર વિમર્શ ૨૦૩૨ સુધીનો ભાગ-૧ માં નોંધ્યા છે. તે વાંચક મિત્રોને સાધનામાં માર્ગદર્શક બનો તેવી અંતરની અભિલાષા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy