SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ પરમાત્મ ભકિંતના અાઠ સ્ટેજ દ્વારા આત્માનુભવનો પ્રયોગ આંખ બંધ કરીને પરમાત્મા આપણી સામે બિરાજમાન છે તેવું દશ્ય જોવું. નીચે મુજબ અનુભવ કરતા જવું અને આગળ વધવું. પરમાત્માના અનંત ગુણોના સ્વરૂપને આપણે યાદ કરીએ છીએ......... ઉપકાર સંપદા, અતિશય સંપદા અને મૂળ ગુણ સંપદાના પરમાત્માના અનંત ગુણોનું ચિંતન કરવું અને આપણા મૂળ ચૈતન્યના પરમાનદ સુધી પહોંચાડવાની પરમાત્માની દિવ્ય શકિતથી ભાવિત બનવું. આ રીતે ભાવિત થવાથી આપણને પ્રભુ પ્રત્યે (૧) અત્યંત આદર અને (૨) બહુમાન ભાવિત થાય છે...........અત્યારે પરમાત્માના આદર અને બહુમાનવાળી આપણી ચેતના છે..... (આવું અનુભવવું.) (૩) પરમાત્માના સ્વરૂપ પ્રત્યે અંતરંગમાં રૂચિ પ્રેમ ઉત્પન્ન થાય છે....... (આવું અનુભવવું.) (૪) આપણી વીર્યશકિત પરમાત્મા પ્રત્યે સ્કુરાયમાન થાય છે. (૫) પરમાત્માના ગુણોમાં રમણતા થાય છે.......... આવું અનુભવવું. . પરમાત્માના સ્વરૂપમાં રમણતા થઈ રહી છે. (૬) અત્યારે આપણે પરમાત્માના સ્વરૂપમાં તન્મય છીએ. (૭) આપણે પરમાત્મામાં તદ્રુપ બની જઈએ. (૮) ધ્યાનમાં પરમાત્મા સાથે એકત્ર થયું છે. આપણી ચેતના પરમાત્મામાં તદાકાર ઉપયોગે પરિણામ પામી ગઈ છે. જે રીતે દૂધમાં સાકર ઓગળી જાય તે રીતે અત્યારે આપણું મન પરમાત્મામાં ઓગળી ગયું છે. . અત્યારે આપણી ચેતના સંપૂર્ણપણે પરમાત્મ સ્વરૂપને અવલંબેલી છે. અત્યારે આપણો ઉપયોગ (ધ્યાન) સંપૂર્ણપણે પરમાત્મામાં લીન છે................. (આવી સ્થિતિ થોડી વાર સ્થિરતાપૂર્વક અનુભવવી) પૂર્ણ પણે ઉપયોગ પરમાત્માના ધ્યાનમાં જોડેલો રાખવો.... પરમાત્મ સ્વરૂપમાં સંપૂર્ણ લીનતા આવવાથી પરમાત્મા સાથે એકત્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy