SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાત્માનું પરમ નિમિત્ત મળે છે અને જીવ જ્યારે પરમાત્માને સર્વસ્વ માની પોતાના ક્ષયોપશમભાવી ગુણોને પરમાત્મામાં જોડે છે, એટલે કે રૂચિ (દર્શન ગુણ) પરમાત્માના સ્વરૂપમાં, ભાસન (જ્ઞાન) પરમાત્માના ગુણોનું, રમણતા (ચારિત્ર) પરમાત્માના (સ્વરૂપ) ગુણોમાં, વીર્યશકિત પરમાત્મ ભકિત-ધ્યાન આદિમાં જોડે છે ત્યારે પરમાત્મ સ્વરૂપ અનુયાયી ચેતના બને છે. પરમાત્મ ગુણના રંગે રંગાયેલી આપણી ચેતના બને છે. પરમાત્મ સ્વરૂપને અવલંબેલું આપણું ચૈતન્ય બને છે. કહ્યું છે કે : દર્શન જ્ઞાનાદિક ગુણ આત્મના, પ્રભુ પ્રભુતા લયલીન, શુદ્ધ સ્વરૂપી રૂપે તન્મયી, તસુ આસ્વાદન પીન. પૂજના તો જે રે બારમા જિન તણી. શ્રી દેવચંદ્રજી કૃત બારમા ભગવાનનું સ્તવન. આ રીતે આત્માના ક્ષયોપશમભાવી ગુણો દર્શન, જ્ઞાન, ચારિત્ર, વીર્ય આદિ પ્રભુની પ્રભુતામાં લીન બને છે ત્યારે શુદ્ધ આત્મ ચૈતન્યને પ્રાપ્ત થયેલા પરમાત્માના સ્વરૂપમાં રૂચિ, રમણતા, તન્મયતા, તદ્રુપતા, એકત્તા પ્રાપ્ત થાય છે. શુદ્ધ તત્ત્વ રસ રંગી ચેતના, પામે આત્મ સ્વભાવ; આત્માલંબી નિજ ગુણ સાધતો, પ્રગટે પૂજ્ય સ્વભાવ. આ રીતે શુદ્ધ નિર્મલ તત્ત્વ શ્રી અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન તેના રસમાં આપણું ચૈતન્ય જ્યારે રંગાય છે, એટલે પરમાત્મ સ્વરૂપને અવલંબેલું આપણું ચૈતન્ય જ્યારે બને છે, ઉપયોગ સંપૂર્ણપણે પરમાત્મ સ્વરૂપને અવલંબેલો હોય છે, ત્યારે ઉપયોગથી આપણો આત્મા અભિન્ન હોવાથી આત્મસ્વરૂપમાં રૂચિ વાળો (સમ્યગુ દર્શન), આત્મસ્વરૂપમાં ઉપયોગી (જ્ઞાન), આત્મસ્વરૂપ રમણી (સમ્યગુ ચારિત્ર) આપણો આત્મા બને છે તે આત્માના અનુભવનો પરમ આનંદ અનુભવે છે. તેનો દિવ્ય પ્રયોગ નીચે મુજબ છે. Jain Education International . For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy