SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ દીઠો સુવિધિ નિણંદ સમાધિ રસ ભર્યો ભાસ્યો આત્મસ્વરૂપ અનાદિનો વિસર્યો; સકલ વિભાવ ઉપાધિ થકી મન ઓસર્યો; સત્તા સાધન માર્ગ ભણી એ સંચર્યો. શ્રી દેવચંદ્રજી કૃત નવમા ભગવાનનું સ્તવન આત્માના અનંત આનંદ અને સુખને પ્રાપ્ત કરવાની તીવ્ર ઝંખના થતાં તે માટેના પરમ કારણ પરમાત્મા પોતાનું સર્વસ્વ બની જાય છે. એ જ આપણા માતા, પિતા, નેતા, બંધુ, પ્રાણ, ત્રાણ, શરણ, આધાર રૂપ ભાસે છે. રૂચિ પરમાત્મામાં, વીર્ય ફુરણા પરમાત્મ ભકિતમાં, રમણતા પરમાત્માના સ્વરૂપમાં, તન્મયતા, તદ્રુપતા અને એકત્વતા પરમાત્મામાં ઉત્પન્ન થાય છે. અને તે એકત્વતા પ્રભુ સાથે ઉત્પન્ન થતાં પરમાનંદની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે : સહજ અકૃત્રિમ નિર્મળ જ્ઞાનાનંદ જો, દેવચંદ્ર એકત્વે સેવનથી વરે રે લોલ. આ પ્રમાણેનો માર્ગ જોતાં અરિહંત પરમાત્માના ધ્યાનની સાધનાનો ક્રમ નીચે મુજબ નક્કી થાય છે. (૧) આદર (૨) બહુમાન (૩) રૂચિ (૪) વીર્યસ્કુરણા (૫) રમણતા (૬) તન્મયતા (૭) તદ્રુપતા (૮) એકત્વતા. આ આઠ સ્ટેજની સાધના પરિપૂર્ણ બને છે. હકીકતમાં આપણા ક્ષયોપશમભાવી જે આત્મગુણો ખુલ્લા છે તેને પ્રભુની પ્રભુતા સાથે જોડવા તે આપણી સાધના છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, વિર્ય આદિ આપણા આત્માના ગુણો ક્ષયોપશમ ભાવે અત્યારે અંશતઃ ખુલ્લા છે. દર્શન એટલે રૂચિ, જ્ઞાન એટલે જાણવું, ચારિત્ર એટલે રમણતા કરવી, વીર્ય એટલે શકિત ફોરવવી. આ બધી આત્મશકિત અત્યારે વિભાવ દશામાં પર પુદ્ગલ અનુયાયી, પુગલ પરિણામી બનેલી છે. બહુમાન પુદ્ગલનું છે, રૂચિ પુદ્ગલમાં છે, રમણતા પુદ્ગલમાં છે. પરંતુ જીવનમાં જ્યારે અરિહંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy